બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. સેનાએ ત્યાં વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. હાલમાં સેનાએ શાંતિ જાળવવાની જવાબદારી લીધી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જાન્યુઆરી 2024માં સામાન્ય ચૂંટણીઓ બાદ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી છે. આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ તેમજ રાજકીય પક્ષોના નેતાઓ અને કેટલાક નાગરિક સમાજના સભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના આર્મી ચીફ વકારે કહ્યું કે દેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવશે. જેમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના આયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં આંદોલનકારીઓના નેતાઓએ મંગળવારે વહેલી સવારે પ્રસ્તાવની જાહેરાત કરી હતી. તેમણે વચગાળાની સરકાર માટેની યોજનાની રૂપરેખા આપી છે. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને સલાહકાર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તે જ સમયે, બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાન આજે સ્થાનિક સમય અનુસાર બપોરે 12 વાગ્યે દેખાવકારોના નેતાઓને મળશે. બળવા પછી બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ પદની રેસમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ અને પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનો સમાવેશ થાય છે. પૂર્વ પીએમ ખાલિદ ઝિયા જેલમાંથી મુક્ત થશે. નવા વચગાળાના પીએમ બનવાની રેસમાં મોહમ્મદ યુનુસ સૌથી આગળ છે.
કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના સામાજિક ઉદ્યોગસાહસિક, બેંકર, અર્થશાસ્ત્રી અને સામાજિક નેતા છે. યુનુસને 2006 માં ગરીબી નાબૂદી માટેના તેમના વિશેષ પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. યુનુસે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપ્ના કરી હતી, જે ગરીબ લોકોને નાની લોન આપે છે. બાંગ્લાદેશ તેની ગ્રામીણ બેંક દ્વારા માઇક્રોક્રેડિટ માટે વિશ્વભરમાં પ્રશંસા પામ્યું છે. વર્ષ 2009માં ડો. મોહમ્મદ યુનુસને યુનાઈટેડ સ્ટેટ્સ પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2010માં તેમને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને અન્ય ઘણા એવોર્ડ પણ મળ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech