ફળોનો રાજા કેરી, મોટાભાગના લોકોનું પ્રિય ફળ છે. જે લોકોને તેનો સ્વાદ ગમે છે તેઓ તેને ખાવા માટે બહાના શોધતા રહે છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો અને તેને કોઈ પણ વસ્તુ સાથે ખાતા હોય તો સાવધાન રહો. આ આદત બીમાર કરી શકે છે. કેમ કે અમુક વસ્તુઓ સાથે કેરી ખાવાથી તેની વિપરીત અસર થઇ શકે છે. જાણો એવી 5 વસ્તુઓ વિશે જે કેરી સાથે ખાવાનું ટાળવું જોઈએ.
કેરી સાથે આ 5 વસ્તુઓ ન ખાવી જોઈએ
દહીં
કેરી સાથે દહીં ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આનું કારણ એ છે કે બંને વસ્તુઓની અસર અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં તેનું એકસાથે સેવન કરવાથી ગેસ, અપચો અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત જ્યારે ગરમ અને ઠંડા પ્રકૃતિના પદાર્થો એકસાથે ભળી જાય છે ત્યારે તે ત્વચા પર ફોલ્લાઓ અથવા એલર્જીનું કારણ પણ બની શકે છે.
મસાલેદાર ખોરાક
મરચાં, ગરમ મસાલા જેવા મસાલેદાર ખોરાક અથવા કેરી સાથે તળેલા ખોરાક ખાવાથી પેટમાં બળતરા અથવા એસિડિટી થઈ શકે છે.
ઠંડા પીણાં
કેરી ખાધા પછી તરત જ ઠંડુ પાણી, ઠંડા પીણા પીવાથી અથવા આઈસ્ક્રીમ ખાવાથી પાચનતંત્ર ધીમું થઈ શકે છે, જેના કારણે પેટ ફૂલી શકે છે. ઉપરાંત કેરી અને કોલ્ડ્રીંક બંને અત્યંત મીઠા હોય છે. તેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં સુગર લેવલ અચાનક વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે.
પ્રોસેસ્ડ ફૂડ
કેરી સાથે ચિપ્સ, બર્ગર અથવા જંક ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે અને વ્યક્તિને પેટ ફૂલેલું અથવા ભારેપણું અનુભવાઈ શકે છે.
સાઇટ્રસ ફળો
કેરીમાં કુદરતી ખાંડ જોવા મળે છે જે વિટામિન સીથી ભરપૂર હોય છે. તેની સાથે નારંગી, લીંબુ અથવા ટેન્જેરીન જેવા ખાટા ફળોનું સેવન કરવાથી શરીરમાં એસિડનું સ્તર ખૂબ વધી શકે છે. જેના કારણે વ્યક્તિને એસિડિટી, હાર્ટબર્ન, ગેસ અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.
ટિપ્સ
-હંમેશા એકલી કેરી ખાઓ અથવા તેને રોટલી, શાકભાજી કે સલાડ જેવા હળવા ખોરાક સાથે ખાઈ શકો છો.
-કેરી ખાધા પછી ૧-૨ કલાક સુધી ભારે કંઈપણ ખાવાનું ટાળો.
-પાકેલી અને તાજી કેરી જ ખાઓ, કારણ કે કાચી કેરી પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે.
-કેરી સાથે હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech