કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી માલદે ખુંટીની હત્યા કરવામાં આવી છે. બખરલા ગામે મેરામણની હત્યા થઈ છે. મેરામણ અને આરોપીઓ વચ્ચે થોડા દિવસોથી મગજમારી ચાલતી હતી. મેરામણ અગાઉ અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મુરૂ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલો હતો. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુના નોંધાયેલા હતા. અગાઉ પોલીસને તેના ઘરે અને વાડીમાંથી અનેક હથિયારો મળ્યા હતા.
અંગત અદાવતમાં હત્યા થયાની ચર્ચા
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ બખરલા ગામે કુખ્યાત મેરામણ લંગી ખુંટીની હત્યા ઘટના સામે આવી હતી. અંગત અદાવતમાં હત્યા થયાની ચર્ચા થઈ રહી છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે આ હત્યા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુળુ મોઢવાડિયાની હત્યામાં અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી
અંધાધૂંધ ગોળીઓ વરસાવી ચકચારી મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં પણ મેરામણની સંડોવણી ખુલી હતી. બાદમાં કોર્ટે નિર્દોષ છોડ્યો હતો. ત્યારબાદ બખરલા ગામે એક મહિલાની હત્યા કેસમાં પણ મેરામણ લંગીની ધરપકડ થઈ હતી. મેરામણ સામે 4 હત્યા, 2 હત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના નોંધાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech