આજે સંસદ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર બંને ગૃહોમાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જેની થીમ 'એક ભારત, શ્રે ભારત' રાખવામાં આવી હતી. રામ મંદિર પર જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેમાં પીએમને મંદિર નિર્માણ માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. આ સાથે પ્રસ્તાવમાં રામ મંદિરને ભારત, ભારતીયતા, મહાન ભારત અને પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યું હતું . તેના પર લોકસભામાં નિયમ ૧૯૩ હેઠળ ચર્ચા થઇ હતી અને બીજેપી સાંસદ સત્યપાલ સિંહે તેને લોકસભામાં રજૂ કર્યેા હતો જેમાં પીએમ મોદી,રામ મંદિર ઉપરાંત દેશના અન્ય મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યેા હતો. વર્તમાન સરકારના કાર્યકાળનું આ છેલ્લું સંસદ સત્ર છે.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ સાંસદો સાથે લચં માટે સંસદની કેન્ટીનમાં આવ્યા હતા. આ સાંસદોમાં ભાજપના એલ મુગન, જામ્યાંગ શેરિંગ, પેગનન કોનિયાક અને હિના ગાવિતનો સમાવેશ થાય છે, યારે આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રન, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા, ટીડીપી સાંસદ રામ મોહન નાયડુ અને બસપા સાંસદ રિતેશ પાંડેનો સમાવેશ થાય છે. પીએમએ આ અનૌપચારિક લચં માટે તમામ સાંસદોને આમંત્રણ આપ્યું હતું. લચં બાદ સાંસદોએ કહ્યું હતું કે તેમણે પીએમ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. યારે એક સાંસદ દ્રારા પૂછવામાં આવ્યું ત્યારે પીએમએ તેમની અચાનક લાહોર મુલાકાતની વાર્તા પણ સંભળાવી હતી.
સંસદમાં આજે બજેટ સત્રના છેલ્લા દિવસે રામ મંદિર પર ચર્ચા સાથે ૧૭મી લોકસભાની કાર્યવાહી સમા થશે. ભાજપે ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને તેના સાંસદોને બંને ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. 'મહત્વના સરકારી કામકાજ'ના વ્યવહાર માટે સંસદનું બજેટ સત્ર શનિવાર ૧૦ ફેબ્રુઆરી સુધી એક દિવસ લંબાવવામાં આવ્યું હતું. બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીએ શ થયું હતું અને ૯ ફેબ્રુઆરીએ પૂં થવાનું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech