ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાના કારણે શિક્ષણ જગતમાં અંધાધુંધીની પરિસ્થિતિ જોવા મળે છે. સૌથી ખરાબ પરિસ્થિતિ બી.એડ કોલેજોમાં જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 59 બી એડ કોલેજોમાં અને ભવનમાં બી એડ ના અભ્યાસક્રમ ચાલે છે અને કુલ 4,580 બેઠકો છે. તેમાંથી 4000 જેટલી બેઠકો ખાલી પડી છે.
બી.એડ માં એડમિશન માટે પડાપડી થતી હતી અને ઉંચી ફી વસૂલવામાં આવતી હોવા છતાં લાંબુ વેઇટિંગ લિસ્ટ હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટાટ અને ટેટ શિક્ષકોની ભરતી સરકારે બંધ કરી દેતા ભણીગણીને ટીચર બનવા માગતા અનેક વિદ્યાર્થીઓએ હવે આ રસ્તે જવાનું બંધ કરી દીધું લાગે છે. સરકારી પોર્ટલ પર માત્ર 580 રજીસ્ટ્રેશન થયા છે અને તેમાંથી પણ 150 જેટલા વિદ્યાર્થીઓની અરજી નાના મોટા કારણોસર રદ કરી સુધારા વધારા સાથે નવેસરથી અરજી કરવા જણાવી દેવાયું છે. કોલેજોની વધતી જતી સંખ્યાના કારણે આ પરિસ્થિતિ સર્જાવા પામી હોવાના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર ભરત રામાનુજના નિવેદન સામે જવાબ આપતા કોંગ્રેસના આગેવાન અને અગાઉ સિન્ડિકેટ સભ્ય રહી ચૂકેલા ડોક્ટર નિદત બારોટે જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં બી.એડ ની એક પણ નવી કોલેજ શરૂ થઈ નથી. ત્યારે ભરતભાઈ રામાનુજનો આ જવાબ સદંતર ખોટો છે, વાસ્તવમાં ટેટ અને ટાટ શિક્ષકોની ભરતી ન કરવાના સરકારના નિર્ણય અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન તથા એડમિશનની આ વર્ષની નવી પદ્ધતિના કારણે આમ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech