કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે.
તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે ’ચિત્રકૂટધામ’માં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથા ’માનસ પિતામહ’ ગાનમાં ભાવિક શ્રોતાઓ સંગીત વૃંદનાં સથવારે સુર, સંગીત સાથેનો લાભ મોજથી મેળવી રહ્યાં છે.રામકથાનાં છઠ્ઠા દિવસે રામકથામાં મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. ’માં તું કાળી ’ને કલ્યાણી રે...’ રાસમાં મોરારિબાપુ સાથે સૌ કોઈ પૂરા કથા મંડપમાં ભાવભેર રાસનાં તાલમાં નાચ્યાં હતા. મોરારિબાપુ સાથે રહેલ સંગીત વૃંદ દ્વારા સુંદર સંયોજન રહેલું છે. ભજન સ્તુતિ ગાનમાં દેવાબાપુ હરિયાણી અને પાર્થિવભાઈ હરિયાણી સાથે હરીશચંદ્રભાઈ જોષી રહેલાં છે. સ્તુતિ, પ્રાર્થના કે ગીત ગાન સાથે વિવિધ વાદ્ય સંગીતમાં રહેલાં પંકજભાઈ ભટ્ટ, રમેશભાઈ ચંદારાણા, ગજાનન સાળુકે, કીર્તિભાઈ લીંબાણી, દિલાવરભાઈ સમા, હિતેશગીરી ગોસ્વામી તથા તપોધનભાઈ શર્મા સુંદર તાલ મેળવી રહ્યાં છે. આજે રાસની રમઝટમાં પણ આ સંગીતવૃંદ દ્વારા જમાવટ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech