સુપ્રીમ કોર્ટે ગઈકાલે દેશભરમાં વિરોધ પ્રદર્શનોને કાબુમાં લેવા માટે કલમ 144 (સીઆરપીસી) વારંવાર લાગુ કરવાના અધિકારીઓના વલણની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ કલમનો દુરુપયોગ થઈ રહ્યો છે. જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાની બેન્ચમાં ઝારખંડ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ ઓકાએ ટિપ્પણી કરી હતી કે જો કોઈ વિરોધ થઈ રહ્યો હોય તો કલમ 144નો આદેશ જારી કરવામાં આવે છે. આ ખોટો સંકેત મોકલે છે. જો કોઈ વિરોધ કરવા માંગે છે તો કલમ 144 લગાવવાની શું જરૂર છે? દેશમાં કલમ 144નો દુરુપયોગ થઈ રહ્યો છે.
ઝારખંડ સરકારે નિશિકાંત દુબે, અર્જુન મુંડા અને બાબુલાલ મરાંડી સહિત 28 ભાજપ નેતાઓ સામે કલમ 144 ના ઉલ્લંઘનના કેસ રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારના વકીલે જણાવ્યું હતું કે કલમ 144 ના ઉલ્લંઘનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં સરકારી કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને પત્રકારો ઘાયલ થયા છે. તેથી, તેમને રાહત આપી શકાતી નથી. બેન્ચે સરકારની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો કોઈ આધાર નથી.
રમખાણો, ખલેલ અથવા હિંસાની આશંકા હોય તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કલમ 144 લાદવામાં આવે છે. આનું ઉલ્લંઘન કરવા પર છ મહિનાની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ની કલમ 163 માં કલમ 144 ની જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર દ્વારા વિરોધ પ્રદર્શનની પરવાનગી હોવા છતાં, સાવચેતીના પગલા તરીકે ઘણીવાર કલમ 144 લાગુ કરવામાં આવે છે. લોકશાહીમાં, દરેકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech