કડી તાલુકાના ઝુલાસણ ગામે ગત રાત્રે લકો સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની ચાલુ ડાયરામાં અચાનર તબિયત લથડી હતી. આથી તેઓને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, માયાભાઈએ હોસ્પિટલમાંથી વીડિયો બનાવી ચાહકોને ખુશખબર આપ્યા છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું છે કે,
આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
માયાભાઈની તબિયતમાં સુધારો આવ્યો હોય તેવો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, 'જય સિયારામ આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી'.
કડી તાલુકાના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોકડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો.
સ્ટેજ પર ચડતાં જ તેમની તબિયત લથડી હતી
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાંની સાથે જ તેમની તબિયત લથડી હતી. જ્યાં માયાભાઈ આહીરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગું છું. મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાંથી નીકળી શકું, હું અહીંયાંથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું, અહીંયાં આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું, આઈ એમ વેરી વેરી સોરી, મને ક્ષમા કરજો.
લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનો લોકડાયરો યોજાયો હતો
ઝુલાસણ ગામે આવેલી અનુપમ પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતા ગ્રામજનો તેમજ ઝુલાસણ ગામના વિદેશમાં વસતા લોકો દ્વારા કરોડોના ખર્ચે અનુપમ પ્રાથમિક શાળાનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં આજે સાધુ સંતો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને ગ્રામજનો તેમજ દાતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવાનો છે. જે અંતર્ગત રવિવારે સોનુ ચારણની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સોમવારે રાત્રે રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech