દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ રોગચાળાના નિયંત્રણ માટે સર્વેલન્સ અને મચ્છરોના ઉદગમ સ્થાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૬/૦૫/૨૦૨૫ને "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. ઉજવણીરૂપે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને નિવારણ માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૂપે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.
ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા વગેરે વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાતા હોય છે આથી જુદા જુદા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અને નિવારણ કામગીરીના સર્વેલન્સ દરમ્યાન મચ્છરના ઉદગમસ્થાન એવા પાણીના પાત્રોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવશે.
વધુમાં મચ્છર ઉત્પતિ સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના કુવારા, ફ્રીઝ / એસી / કુલરની ટ્રે, ફૂલઝાડના કુંડા, પક્ષીઓના પીવાના પાણીના કુંડા, અગાસી, છતમાં ભરાતા પાણી અને બંધીયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીના સ્થળોએ એબેટના દ્રાવણ તેમજ બી.ટી.આઈ દ્રાવણનો ઉપયોગ કરી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં આવશે. જિલ્લાના નાના-મોટા જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકી પોરાઓનો નાશ કરી મચ્છરોના જીવનચક્ર નિયંત્રિત કરીને જૈવિક રીતે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવામાં આવશે. "ડેન્ગ્યુ દિવસ" તેમજ વાહક જન્યરોગ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીર શહીદોના સન્માનમાં જોડિયામાં તિરંગાયાત્રા
May 19, 2025 10:44 AMવેસ્ટ ટુ એનર્જી કંપની બંધ થતાં જામ્યુકોને નુકશાન
May 19, 2025 10:41 AMજામનગરમાં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની નોટીસ બાદ દબાણો દૂર થતાં રાહત
May 19, 2025 10:38 AMહાપા રેલ્વે સ્ટેશન: જામનગરના ઔદ્યોગિક કોરિડોરનું આધુનિક પ્રવેશદ્વાર
May 19, 2025 10:37 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech