નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ પવિત્ર તહેવારના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાને શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવીની પૂજા કરવાથી ભક્તોને ભયમાંથી મુક્તિ મળે છે. આ દિવસે માતાને કેસરથી બનેલી ખીર અથવા લવિંગ, એલચી, મેવો અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરી શકાય છે. જો ઈચ્છો તો માતાજીને અર્પણ કરવા માટે સિંઘોડાના લોટમાંથી બનાવેલો શીરો પણ ધરી શકો છો. જાણી લો સિંઘોડાના લોટમાંથી શીરો બનાવવાની રેસીપી.
સિંઘોડાના લોટમાંથી શીરો બનાવવા માટેની સામગ્રી:
- એક કપ સિંઘોડાનો લોટ
- બે કપ પાણી
- બે કપ દૂધ
- અડધો કપ ઘી
- અડધી ચમચી એલચી પાવડર
- એક ચમચી છીણેલી બદામ
- કેસર
હલવો(શીરો) કેવી રીતે બનાવવો
શીરો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં લોટ ઉમેરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને શેકો. લોટ શેકાઈ રહ્યો હોય ત્યારે મધ્યમ તાપ પર એક પેનમાં પાણી, દૂધ અને ખાંડ ગરમ કરો. ચાસણી ગરમ થાય કે તરત જ તેમાં કેસર નાખો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે લોટ ચેક કરો. જો તે સંપૂર્ણપણે શેકાઈ જાય તો તેમાં તૈયાર કરેલી ચાસણી અને એલચી પાવડર ઉમેરો. પછી તેને ચડવા દો. ફ્લેમ ઓછી કરો અને પાણીને સંપૂર્ણપણે બળી જવા દો. જો પાણી સુકાઈ રહ્યું હોય તો હલવાને સતત હલાવતા રહો. જ્યારે ઘી તેમાંથી છૂટું પડવા લાગે ત્યારે સમજી લો કે હલવો સંપૂર્ણપણે તૈયાર છે. બદામથી સજાવીને પ્રસાદ તરીકે અર્પણ કરો અને પછી બધાને પ્રસાદ ખવડાવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech