વાગુદડ ગામે શ્રીનાથજીની મઢીના આશ્રમ ચલાવતા મહંત યોગી ધર્મનાથે રાજકોટમાં કાલાવડ રોડ પર થોડા સમય પહેલા હંગામો મચાવ્યો હતો. તેમની કાર રોંગ સાઇડમાં હતી અને સામે આવતી GST અધિકારીના કાર ડ્રાઈવરે પાછી ન લીધી તો મહંતે કારના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં ફરસી અને લાકડી હાથમાં લઈને છડેચોક આતંક મચાવ્યો હતો. બાદમાં રાજકોટ ગ્રામ્ય SOGની ટીમ વાગુદડ ખાતેના અખિલ ભારતીય અવધૂત આશ્રમમાં તપાસ માટે પહોંચી હતી. SOG દ્વારા આ છોડને કબજે કરી તપાસ અર્થે FSLમાં મોકલાયા હતાં, જેના રિપોર્ટમાં આ છોડ ગાંજાના હોવાનું ખુલ્યું છે. આ મામલે મેટોડા પોલીસે ગુનો દાખલ કરી આજે મહંત યોગી ધર્મનાથની ધરપકડ કરી છે.
એક એકર જગ્યામાં આશ્રમ આવેલ હોવાનું સામે આવ્યું હતું. આશ્રમની જગ્યા સરકારી ખરાબાની હોવાથી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી અને જમીનનો કબજો લેવા કાર્યવાહી કરી કલમ 202 હેઠળ આ જગ્યા પરની માલિકી ધરાવનારાને નોટિસ મોકલી હતી. જેનો જવાબ નહીં રજૂ થતા અને દબાણ દૂર નહીં થતા મામલતદારની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે આ સરકારી દબાણ દૂર કરવા ડિમોલિશન કામગીરી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
મહંતે ગાડીમાંથી ઊતરીને બોનેટ ઉપર ધુમ્બો માર્યો હતો
કાલાવડ રોડ પર જે ઘટનાક્રમ બન્યો હતો એમાં GST અધિકારીની કારના ડ્રાઇવર ભાવિન બેરડિયાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તેમણે આખા ઘટનાક્રમ વિશે કહ્યું કે, હું ડ્રાઇવર રાજકોટમાં સેન્ટ્રલ GSTમાં મારી ઇનોવા કાર કોન્ટ્રેક્ટમાં ચલાવું છું. આ કાર GST અપીલ કમિશનર એચ. પી. સિંહને ફાળવેલી છે. હું રાત્રે 9 વાગ્યાની આસપાસ અધિકારીને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે ઉતારીને GSTની ઓફિસે પરત જઈ રહ્યો હતો. ત્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કિશાનપરા ચોક તરફથી મારી ગાડીની સામે રોંગ સાઇડમાં એક ગાડી આવી હતી. એમાં સાધુ અને તેમના ત્રણથી ચાર અનુયાયીઓ હતા. મને ગાડી રિવર્સ લેવા કહ્યું, પરંતુ પાછળ ટ્રાફિક હતો એટલે ગાડી રિવર્સમાં જઈ શકે એમ ન હતી. ત્યારે મહંતે ગાડીમાંથી ઊતરીને બોનેટ ઉપર ધુમ્બો માર્યો હતો. તેમના હાથમાં ચીપિયો, લાકડી અને ફરસી જેવાં હથિયારો હતાં, એટલે હું મારી કારમાંથી બહાર ન નીકળ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech