મહિલાઓ સંચાલિત સમર કેમ્પમાં બાળકોમાં થતું સંસ્કારોનું સિંચન
ખંભાળિયામાં હાલ વેકેશનના માહોલમાં નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન તેમજ ઇતર પ્રવૃત્તિઓ પ્રત્યે સુરુચિ વધે તે હેતુથી અહીંના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા ગણાત્રા હોલ ખાતે સની સ્માઈલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમર કેમ્પમાં બાળકોને વિવિધ જરૂરી જ્ઞાન, માર્ગદર્શન સાથે ઇતર પ્રવૃત્તિઓ અંગે પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ સમર કેમ્પમાં તાજેતરમાં બાળકોને માતા-પિતા પ્રત્યેનો આદરભાવ વધે તે હેતુથી માતૃ-પિતૃ પુજનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરલભાઈ મોદી દ્વારા માતા-પિતાના અનન્ય મહત્વ વિશે બાળકોને સમજાવી અને બાળકો દ્વારા માતા-પિતાની પૂજા, આરાધના કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત બાળકોએ માતા-પિતાને લગતા વક્તવ્ય પણ આપ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમર કેમ્પના આયોજક ધારા હિંડોચા, દિવ્યા ખગ્રામ, સ્વરા કાનાણી તેમજ ભૂમિ હિંડોચાનું આ આયોજન સૌ કોઈએ બિરદાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech