આ કઠિન લડાઈ દરમિયાન દેશમાં તણાવનું વાતાવરણ હતું. આનાથી નાટો અને યુરોપિયન યુનિયનના પૂર્વીય ભાગોમાં પોલેન્ડની અંદર ઊંડા મતભેદો બહાર આવ્યા. જાહેર થયેલા પ્રારંભિક એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવ્યું હતું કે ટ્રાઝાસ્કોવસ્કી આગળ છે, પરંતુ થોડા કલાકો પછી અપડેટેડ સર્વેમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને નવરોકી જીત્યા.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નવરોકીની જીત યુદ્ધ પર નોંધપાત્ર અસર કરી શકે છે. હાલમાં, યુક્રેનિયન સેનાએ રશિયાના 5 એરબેઝ પર મોટા ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે યુદ્ધ તેના ઘાતક તબક્કામાં પહોંચી ગયું છે. નવરોકી જમણેરી પક્ષ 'લો એન્ડ જસ્ટિસ' ની નજીક છે અને તેમણે યુક્રેન પ્રત્યે પોલેન્ડની નીતિ અંગે અનેક નિર્ણાયક સંકેતો આપ્યા છે.
કેરોલ નવરોકી એ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી વોલ્હીનિયા હત્યાકાંડ જેવા પોલેન્ડ માટેના સંવેદનશીલ મુદ્દાઓ ઉકેલાય નહીં ત્યાં સુધી તેઓ યુક્રેનને નાટો કે યુરોપિયન યુનિયનમાં જોડાવાના પક્ષમાં નથી. તેમણે એમ પણ કહ્યું કે પોલેન્ડે અત્યાર સુધી યુક્રેનને પૂરતી સહાય આપી છે, પરંતુ વધુ સહયોગ 'રાષ્ટ્રીય હિતો' અને 'સ્પર્ધા' પર આધારિત રહેશે. નવરોકી યુક્રેનમાં સૈનિકોની તૈનાતીનો પણ વિરોધ કરે છે. આનાથી યુક્રેનને પોલેન્ડ તરફથી મળતો લશ્કરી ટેકો ઓછો થઈ શકે છે.
માત્ર યુક્રેન જ નહીં પરંતુ તેના સાથી દેશો પણ નવરોકીની નીતિથી ચિંતિત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો યુક્રેન નાટોનો ભાગ નહીં બને, તો રશિયા પોલેન્ડની સરહદો સુધી પહોંચી શકે છે. જોકે, નવરોકીનું રશિયા પ્રત્યે પણ કડક વલણ છે, જે યુક્રેન માટે થોડી રાહતની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech