અમરેલીમાં યુવાનની હત્યા મામલે જિજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચ્યા

  • May 23, 2025 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના સાવરકુંડલા રોડ પર ચાર જેટલા યુવાનોને રોડ તેમજ વાડીમાં દોડાવી, દોડાવીને હથિયારો વડે ગંભીર મારમાર્યો હતો જે મામલે એક યુવાન નું સારવારમાં મોત બનાવ હત્યામાં પલટાતા મૃતક યુવાનના પરિવારજનો અને સગાઓમાં ભારે રોષ ફેલાયો હતો દરમ્યાન આ ઘટનાના પગલે જિજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચ્યા અને મૃતક યુવાનના પરિવારજનોને મળી  ઘટનામાં સામે શખ્સો સામે  કડક કાર્યવાહીની માંગ કરી હતી.
 અમરેલીના સાવરકુંડલા રોડ પર છ દિવસ અગાઉ નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડ (ઉ.વ.૨૦), સુરેશભાઈ, ભાવેશભાઈ તેમજ લાલજી ઉર્ફે અમિત ચૌહાણ જમવા ભેગા થયા હતા જે વેળાએ નિલેશભાઈ રોડ ટપીને નાસ્તો લેવા ગયા જ્યાં એક બાળકની મદદ કરતા હતા તે વેળાએ દુકાનદારે અમરેલીમાં યુવાનની 
નિલેશભાઈને દલીત હોય હોઈ જ્ઞાતીથી અપમાનિત કરી, મારમાર્યો હતો. અને બાદમાં ચારેય યુવાન તેને સમજાવવા જતાં ચોથા ખોડાભાઈ ભરવાડ, વિજય આણંદભાઈ ટોટા, ભાવેશ મુંધવા, જતીન મુંધવા તેમજ અન્ય અગિયાર જેટલા શખ્સોએ એક સંપ કરી કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારો વડે ચારેય યુવાનોને રોડ તેમજ વાડીમાં દોડાવી દોડાવીને ગંભીર મારમરાયો હતો જેમાં નિલેશભાઇને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ભારે રોષ સાથે શોક છવાયો હતો.દરમ્યાન ઘટનાના પગલે  જીજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચ્ય હતા અને મૃતક યુવાનના પરિવારજનોને મળી ઘટનામાં સામેલ આરોપીને કડક સજાન માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application