આજે રોહિત શર્માએ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ મેચમાં આરામ આપવાનું પસંદ કરીને લીડરશિપ દેખાડી છે. આવું ટોસ સમયે, ભારતના પાવરહાઉસ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે જણાવ્યું હતું.
જસપ્રીત બુમરાહે જણાવ્યું કે, રોહિત શર્માએ સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચ માટે આરામ કરવાનું પસંદ કર્યું છે. રોહિતે આરામ કરવાનો નિર્ણય લીધો છે જે દર્શાવે છે કે ભારતીય ટીમમાં ઘણી એકતા છે. તેણે કહ્યું કે, ભારતીય બેટ્સમેનમાં કોઈ સ્વાર્થ નથી. જે પણ થાય તે ટીમના હિતમાં છે.
ટીમમાં બહુ જ એકતા છે
બુમરાહએ ESPN ઇએસપીએન ક્રિકઇન્ફોના માધ્યથ કહ્યું કે, "અમે આ શ્રેણીમાં ખૂબ જ સારું ક્રિકેટ રમ્યા છીએ. છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક હતી. આશા છે કે અમે સારું પ્રદર્શન કરી શકીશું. સ્વાભાવિક છે કે નવા બોલ સાથે પડકાર હશે, પરંતુ તમે આને પાર કરી લો છો તો આ હંમેશા એક સારો બેટિંગ ટ્રેક બની જાય છે. અમારા કેપ્ટને આજની મેચમાં આરામ કરવાનો વિકલ્પ પસંદ કરીને સારું નેતૃત્વ દેખાડ્યું છે. આનાથી ખબર પડે છે કે, ટીમમાં બહુ જ એકતા છે. કોઈ સ્વાર્થ નથી. ટીમના હિતમાં જો કઈ પણ છે અમે તે કરવા માગીએ છીએ. બે ફેરફાર કર્યા છે. જેમાં એક રોહિતે આરામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને બીજો આકાશદીપ ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યા પ્રસિદ્ધ કૃષ્ણા આવ્યો છે.
ભારતની બેટિંગ ચિંતાનો વિષય
બંને તરફથી શાનદાર પ્રદર્શન છતાં ભારતની બેટિંગ અંતિમ મેચ પહેલા ચિંતાનો વિષય છે. સિનિયર ખેલાડીઓ ફોર્મમાં ન હોવાથી, ટીમને આખી સિરીઝ દરમિયાન સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવાની જવાબદારી યુવા ખેલાડીઓ પર આવી છે.
રોહિતે બે ટેસ્ટ મેચમાં માત્ર 42 રન બનાવ્યા હતા
બાંગ્લાદેશ શ્રેણી બાદથી રોહિતને તેની ટેસ્ટ બેટિંગ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેણે બે ટેસ્ટ મેચમાં 10.50ની એવરેજથી માત્ર 42 રન બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech