જામનગરમાં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં બ્રાઝમાં ઇન્ડસટ્રીઝના પ્રોપરાઇટર પીયુશભાઇ પરસોતમભાઈ ઠુંમર પાસેથી મહારાષ્ટ્રની પેઢી મારૂતિ એન્ટરપ્રાઈઝના માલિક અજય સિંઘ દ્વારા અલગ અલગ બીલથી ઉધારથી ૨૩૯૧૩૦/-નો બ્રાસપાર્ટનો માલની ખરીદી કરવામાં આવેલ. જે માલ પીયુશભાઇ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત મોકલી આપવામાં આવેલ. જે માલ મોકલયા બાદ પીયુશભાઇ દ્વારા મારૂતિ બ્રાસપાર્ટની લેણી રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ રકમ ચુકવવામાં આવેલ નહિં, અને ગલ્લા તલ્લા કરવામાં આવેલ. જેથી પીયુષભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત મારૂતિ એન્ટરપ્રાઈઝના માલિક અજય સિંઘને કાનુની નોટીસ મોકલવામાં આવેલ, અને રકમ ચુકવી આપવા જણાવવામાં આવેલ.
પરંતુ થોડા સમયમાં રકમ ચુકવી આપીશું તેવું જણાવેલ અને પરંતુ ઘણો સમય થઈ જવા છતાં રકમ ચૂકવેલ નહી જેથી નારાજ થઇ પીયુશભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત જામનગરની અદાલતમાં સમરી દાવો દાખલ કરવામાં આવેલ. જે દાવો ચાલી જતા વાદીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને અદાલતમાં તમામ આધાર પુરાવાઓ રજુ કરી અને હુકમનામું મેળવવા માટે રજુઆતો કરવામાં આવેલ. જે આધાર પુરાવા અને દલીલો ધ્યાને લઇ જામનગરની અદાલત દ્વારા વાદીનો દાવો મંજુર કરી દાવાની રકમ રૂ.૨૩૯૧૩૦ ની રકમ મારૂતિ એન્ટરપ્રાઈઝના માલિક અજય સિંઘએ વાદીને દાવાના ખર્ચ તથા ૬ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.વાદી બ્રાઝમાં ઇન્ડસટ્રીઝ વતી તેમનાં વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech