આ કેસની હકીકત મુજબ લોઘીકામાં રહેતા અને રાજકોટમાં ક્રિષ્ના એગ્રો સીડસ નામની પેઢી ચલાવતા ફરીયાદી અનીલભાઈ સવજીભાઈ ઘાડીયા પાસેથી જામનગરમાં અંબીકા એગ્રો સીડસ નામે વ્યવસાય કરતા આરોપી જયેશભાઈ જોષીએ કટકે કટકે કુલ રૂા. ૮૯.૪૧ લાખની અલગ-અલગ કંપનીની પેસ્ટીસાઇડ દવાઓ વિગેરેની ઉઘારમાં ખરીદી કરી હતી. જેમાં રૂા. ૫૯,૮૨,૮૦૫ ચુકવવા માટે આપેલો ચેક પરત ફરતા અનિલભાઈએ પોતાના એડવોકેટ મારફત જયેશ જોષીને લીગલ નોટીસ આપ્યા છતાં નાણા ચુકવવા બાબતે કોઈ હકારાત્મક અભીગમ નહિ દાખવતા ફરીયાદીએ કોટડા સાંગાણી કોર્ટ સમક્ષ ચેક રિટર્ન થયાની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજૂઆતોમાં ફરિયાદીના વકીલે રજૂઆત કરી હતી કે ચેક રિટર્ન થવાના કેસો વધી રહ્યા છે, જેથી આવા આરોપીને સબક શીખડાવવો જોઈએ, આ મતલબની કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે આરોપી અંબીકા એગ્રો સીડસના પ્રોપ્રાઈટર જયેશભાઈ જોષીને એક વર્ષની સાદી કેદની સજા અને એક માસમાં ચેક મુજબની રકમ રૂા. ૫૯.૮૨ લાખ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી સજા કરવાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં ફરીયાદી વતી પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, કેતન જે. સાવલીયા, વંદના એચ. રાજયગુરુ, ભાર્ગવ પંડયા, અમીત ગડારા, પંકજ બોરડ, પરેશ મૃગ, ડેનીસ વીરાણી, સહાયક તરીકે શીવમ સીતાપરા, પાર્થ દેગામા અને રૂષી ભુવા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાક્ષરતા દર ૮૦.૯ ટકા સુધી પહોંચ્યો પણ લિંગ અને ભૂગોળના આધારે ભારે તફાવત
June 03, 2025 11:49 AMટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech