માળિયાના ચીખલી ગામે ૧૩ ગાયો કતલ માટે વેચી નાખ્યાનું ખુલ્યું

  • January 09, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માળિયાના ખાખરેચી ગામે રહેતા જલાભાઇ ઉર્ફે જીલાભાઈ ભલુભાઈ શિયાર (ઉ.વ.૪૫) વાળાએ આરોપી મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળા વિદ્ધ ફરિયાદ નોંધાવી હતીે કે તેની માલિકીની ગાયો જીવ ૨૦ અને બળદેવભાઈ મેવાડાની ગાયો ૩૦ આરોપીને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી બાદમાં આરોપીઓને આપેલી ગાયો પૈકી જલાભાઇની ૩ ગાયો અને બળદેવભાઈની ૧૧ સહીત કુલ ગાય જીવ ૧૪ કીમત  ૮૫ હજાર વાળી પરત ના આપી બંને આરોપીએ વિશ્વાસઘાત કર્યેા હતો માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી
જે આરોપી મુસ્તાક અમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળાને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા પરત નહિ આપેલી ૧૪ માંથી ૧૩ ગાયો કતલ માટે અન્ય આરોપીને વેચ્યાની કબુલાત આપી હતી જેથી માળિયા પોલીસે અન્ય આરોપી રમજાન હાન જામ રહે જુના અંજીયાસર, અલાઉદીન મુસા જામ, અબ્બાસ મુસા મોવર અને સાઉદીન ઓસમાણ કાજેડીયા રહે ત્રણેય કાજરડા તા. માળિયા એમ ચાર સહીત કુલ છ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે માળિયા પોલીસે બનાવ મામલે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application