હાલમાં રાજકોટના ટીપીઓ સામે ભ્રષ્ટ્રાચારની ગંભીર ફરિયાદો ઉઠી છે ત્યારે હવે જુનાગઢ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે પણ ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેને ૧૦ લાખની લંાચ માગી હોવા મામલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
કાળવા ચોક વિસ્તારમાં આવેલ વિશાલ ટાવર જર્જરીત હોવાથી મહાનગરપાલિકા દ્રારા તેની પાડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશભાઈ કામદારે જણાવ્યા મુજબ વિશાલ ટાવર અગાઉ ચાર મળથી ઉપરના તમામ માળ જર્જરીત હોવાથી તેને ઉતારી લેવાની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ ગ્રાઉન્ડ લોર સહિત ૧૦ માળ ઉતારી લેવાની જાહેરાત આપવામાં આવી હતી. આ અંગે વિશાલ ટાવરના દુકાન ધારકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે અને બાદમાં મનપાના કમિશનર ટીપીઓ અને દુકાનદારો વચ્ચે તા. ૨૯ એપ્રિલની બેઠક યોજાઇ હતી જેમાં દુકાન માલિકોના એડવોકેટ તરીકે બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશભાઈ કામદાર હાજર રહ્યા હતા . આ બેઠકમાં દુકાન ધારકોએ ૫થી ૧૦માળ ઉતારી લેવા સહમતિ આપી હતી. ત્યારબાદ મીટીંગ પૂરી થયા બાદ ટીપીઓએ મુકેશભાઈ કામદારને બોલાવી પાંચથી ૧૦ માળ ઉતારવા હોય તો દુકાન દીઠ એક એક લાખ પિયા લાંચના માંગ્યા હતા. જેના જવાબમાં વકીલે હત્પં દલાલ નથી તેવો જવાબ આપ્યો હતો. જેથી ટીપીઓએ તમારે હાઇકોર્ટમાં યાં જવું હોય ત્યાં જાઓ તમારો માળ ઉતારી દઈશ તેમ જણાવ્યું હતું. બાદમાં મનપાની બાંધકામ શાખા દ્રારા જર્જરિત બિલ્ડીંગના ૧૦ માળ ઉતારી લેવાની નોટિસ આપી હતી . જેથી મુકેશભાઈ કામદારે જો પિયા અપાઈ ગયા હોત તો બિલ્ડીંગ ઉતારવાની નોબત ન આવત તેમ જણાવી ટીપીઓ દ્રારા પૈસા માગ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીના સંબોધિત પત્રમાં સમગ્ર મામલે ઐંડાણપૂર્વકની તપાસ કરી અને અંગત રસ લઈ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતા ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech