બાંગ્લાદેશ બાદ હવે મ્યાનમારમાંથી પણ દેશમાં સરહદે ઘુસણખોરી વધી છે અને ગેરકાયદે ઘુસી આવેલા ૨૬ લોકોને પાછા ખદેડવામાં આવ્યા હોવાની વિગતો સાપડી છે.મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે માહિતી આપી હતી કે રાયની ખુલ્લી સરહદ દ્રારા ભારતમાં પ્રવેશેલા મ્યાનમારના ૨૬ નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ્ર કયુ કે તેમની સરકાર ગેરકાયદેસર સ્થળાંતર સામે કડક પગલાં લેવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મણિપુરની સરહદે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા આ નાગરિકોને હવે મ્યાનમાર સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ '' પર એક પોસ્ટ શેર કરતા મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે મણિપુરની ખુલ્લી સરહદનો ઉપયોગ કરીને ભારતમાં પ્રવેશતા મ્યાનમારના નાગરિકોને હવે મ્યાનમાર પરત મોકલી દેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાય સરકાર મણિપુરમાં રહેતા ગેરકાયદેસર વસાહતીઓ સામે કડક વલણ અપનાવી રહી છે.
ગેરકાયદેસર સ્થળાંતર સામે કડક કાર્યવાહી
મુખ્યમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યેા કે તેમની સરકાર યુદ્ધને કારણે મ્યાનમારથી મણિપુર ભાગી ગયેલા લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. જો કે, એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જેઓ યુદ્ધમાંથી ભાગી ગયા છે તેમને સન્માનજનક રીતે તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા ચાલુ રહેશે. એન બિરેન સિંહે કહ્યું કે રાય સરકારનો ઉદ્દેશ્ય આ લોકોને સલામત રીતે તેમના ઘરે પરત ફરવાની તક આપવાનો છે યારે ગેરકાયદેસર સ્થળાંતર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મણિપુર સરકારના ગેરકાયદેસર વસાહતીઓ સામે નક્કર પગલાં
આ ૨૬ મ્યાનમાર નાગરિકોને મણિપુરના સરહદી શહેર મોરેહમાં રાય પોલીસ અને કેન્દ્રીય દળોની મદદથી તેમના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. મ્યાનમાર સત્તાવાળાઓએ તેને પરત સ્વીકાર કર્યેા છે. આ પગલું મણિપુર સરકાર દ્રારા ગેરકાયદેસર વસાહતીઓ સામે લેવામાં આવેલા નક્કર પગલાંનો એક ભાગ છે જે રાયમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMજામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓે છેતરપિંડીના ગુનામાં જેલહવાલે
May 19, 2025 11:14 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech