વેલેન્ટાઇન વીક આજથી એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થયો છે. વેલેન્ટાઇન સપ્તાહનો દરેક દિવસ પ્રેમીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીએ રોઝ ડે સાથે થઈ છે. હવે, 14 ફેબ્રુઆરી સુધી દરરોજ કોઈને કોઈ દિવસ ઉજવવામાં આવશે. આ વેલેન્ટાઇન ડે પર પ્રેમીઓ પોતાના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરશે.
પરંતુ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી જૂની રીત પ્રેમપત્ર દ્વારા છે. ખરેખર આજની પેઢીમાં એવા લોકો બહુ ઓછા છે. જે એકબીજાને પ્રેમપત્રો લખે છે પરંતુ જે લોકો લખે છે તેઓ જાણે છે કે તે તેમને કેટલું અલગ અને ખાસ અનુભવ કરાવે છે. વોટ્સએપ-ફેસબુક સોશિયલ મીડિયાના યુગમાં પણ પ્રેમપત્રો હજુ પણ સુસંગત છે. ત્યારે શું જાણો છો કે દુનિયાનો પહેલો પ્રેમ પત્ર કોણે લખ્યો હતો?
પહેલો પ્રેમ પત્ર હજારો વર્ષ પહેલાં લખાયો હતો
જો આપણે પહેલા પ્રેમપત્ર વિશે વાત કરીએ તો તેનો ઉલ્લેખ ભારતીય પુરાણોમાં મળે છે. આ પ્રેમ પત્ર લગભગ 2000 વર્ષ પહેલાં લખાયો હતો. જે વિદર્ભની રાજકુમારી રુક્મિણીએ ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો હતો. જેમની સાથે તેમણે પછીથી લગ્ન કર્યા. તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલ શ્રીમદ્ ભાગવતના 52મા અધ્યાયના સર્ગ 10મા 7 સુંદર શ્લોકો સાથે જોવા મળે છે. આ પ્રેમપત્ર રુક્મિણીએ તેની મિત્ર સુનંદા દ્વારા મોકલ્યો હતો.
આ પૌરાણિક કથા અનુસાર જ્યારે રુક્મણિને શ્રી કૃષ્ણના ગુણો અને બહાદુરી વિશે ખબર પડી. ત્યારે તે તેમને પ્રેમ કરવા લાગ્યા અને તેમની સાથે રુક્મિણી લગ્ન કરવા માંગતા હતા પણ રુક્મિણીનો ભાઈ તેના લગ્ન તેના મિત્ર શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો પણ રુક્મિણી તેની સાથે લગ્ન કરવા માંગતી નહોતી. એટલા માટે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પ્રેમનો સંદેશ મોકલ્યો.
બીજો લખાયેલો પ્રેમ પત્ર ઇજિપ્તમાં મળ્યો
જ્યાં પહેલો પ્રેમપત્ર મહાભારતના સમયનો છે. ત્યારે બીજો લખાયેલ પ્રેમ પત્ર પ્રાચીન ઇજિપ્તમાં મળી આવ્યો હતો. જે વિધવા રાણી અંખેસેનમુને હિજિતના રાજાને લખ્યો હતો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમણે તેમના એક પુત્રને ઇજિપ્ત મોકલવો જોઈએ અને તેના લગ્ન રાણી અંખેસેનમુન સાથે કરાવવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech