જેતપુરમાં આવેલી આંગડીયા પેઢીમાં નોકરી કરનાર વૃદ્ધ સાંજના સમયે દુકાનને તાળું મારતા હતા. ત્યારે તેમણે પોતાના વાહનમાં રાખેલ થેલો કે જેમાં રૂપિયા 1 લાખ રોકડ હોય તે લઇ બાઇક પર આવેલા બે અજાણ્યા શખસો નાસી ગયા હતા. આ અંગે વૃદ્ધ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આ બંને શખસોને ઝડપી લેવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં પાંચ પીપળા રોડ પર ભદ્રાવતી સોસાયટીમાં રહેતા અને અહીં ગઢિયા ચેમ્બર્સમાં આવેલી ઈશ્વર બેચર નામની આંગડીયા પેઢીમાં નોકરી કરનાર હરિભાઈ જયંતીભાઈ ગોસાઇ(ઉ.વ 63 ) દ્વારા જતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા. 4/4/ 2024 ના સાંજના સમયે તેઓ આંગડીયા પેઢીની દુકાન બંધ કરતા હતા આ સમયે તેમણે પેઢીમાં રહેલ રોકડ રૂપિયા એક લાખ જે 500 ના દરના બે બંડલ હોય જે થેલામાં રાખી આ થેલો પોતાના વાહનની સીટ પર રાખ્યો હતો અને દુકાને તાળુ મારતા હતા તેવામાં બે અજાણ્યા શખસ બાઇકમાં અહીં આવ્યા હતા અને આ થેલો અહીંથી લઈ નાસી ગયા હતા.
પ્રથમ વેપારીને એવું હતું કે, તેમના કોઈ મિત્ર તેમની સાથે મજાક કરે છે માટે તેમણે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ બાદમાં આજદિન સુધી થેલો કોઇ પરત આપવા ન આવતા કોઈ શખસો રોકડ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા અંતે આ મામલે જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech