ગુજરાત રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા નિવૃત્ત IAS અધિકારી કમલ શાહને ગુજરાત મહેસુલ પંચના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. તેમની આ નિમણૂક તેમના સભ્ય તરીકેના કાર્યકાળની સમાપ્તિ બાદ કરવામાં આવી છે અને તેઓ હવે આગામી ૩ વર્ષ સુધી આ પદ પર સેવાઓ આપશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મહેસુલ વિભાગના કાર્યમાં તેમનો બહોળો અનુભવ અને વહીવટી ક્ષમતાનો લાભ મળશે તેવી અપેક્ષા છે.
કમલ શાહે અગાઉ પણ વહીવટી તંત્રમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર સફળતાપૂર્વક સેવાઓ આપી છે, જેનો લાભ હવે મહેસુલ પંચને મળશે. આ નિમણૂક આગામી સમયમાં મહેસુલ પંચના કાર્યને વધુ સુદ્રઢ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આજે, 23મી એપ્રિલ, 2025ના રોજ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ એક્ટ, 1957ની કલમ 3 (2) અને કલમ 5 (1) હેઠળ મળેલ સત્તાઓનો ઉપયોગ કરીને અને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ નિયમો, 1982ના નિયમ 4 તથા અન્ય સંબંધિત સત્તાઓનો ઉપયોગ કરીને, ગુજરાત સરકારે શ્રી કમલ શાહ, આઈ.એ.એસ. (નિવૃત્ત)ને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.
આ સમાચાર મહેસૂલ વિભાગ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ અને સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવ્યા છે. શ્રી કમલ શાહની નિમણૂકથી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની કાર્યક્ષમતામાં વધારો થશે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech