રાજસ્થાનમાં વિપક્ષી નેતા ટીકારામ જુલીએ મંદિરની મુલાકાત લીધા પછી મંદિરને ગંગાજળથી ધોવડાવવાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા જ્ઞાનદેવ આહુજાએ આ માટે માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે પાર્ટીને પોતાનો જવાબ પણ આપી દીધો છે.
આહુજાએ નોટિસના જવાબમાં લખ્યું કે મેં કોઈ ભૂલ કરી નથી અને માફી પણ માંગીશ નહીં. હું દલિત વિરોધી નથી, પણ કોંગ્રેસનો વિરોધ કરું છું જે હિન્દુઓની વિરુદ્ધ છે.
કોંગ્રેસ પાર્ટી રામ વિરુદ્ધ છે - જ્ઞાનદેવ આહુજા
તેમણે કહ્યું કે જ્યારે કોઈ દલિત મંદિરમાં ગયો ત્યારે મેં ગંગાજળથી મંદિર નહોતું ધોવડાવ્યુ પરંતુ જ્યારે કોઈ કોંગ્રેસી નેતા આવ્યા ત્યારે મેં આ પગલું ભર્યું. કોંગ્રેસ પાર્ટી રામ અને હિન્દુઓની વિરુદ્ધ છે.
પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા નોટિસ જાહેર કરવા બદલ નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નોટિસને જાહેર કરવી એ પક્ષ વિરોધી કૃત્ય છે.
'રાહુલ ગાંધીનો વિરોધ ફક્ત દલિતો જ કરે છે'
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જાણે છે કે દલિતોમાં તેના વલણ અંગે ભારે ગુસ્સો છે. આ કારણે કાર્યક્રમની જાહેરાત કરવા છતાં લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે અલવરના મંદિરમાં જવાની હિંમત એકઠી કરી શક્યા નહીં, જેને તેમણે ગંગાજળથી ધોવડાવ્યું હતું.
જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે જો રાહુલ ગાંધી મંદિરમાં આવ્યા હોત, તો અલવરના દલિતો તેમનો વિરોધ કરત. દલિતો જાણે છે કે રાહુલ ગાંધી, તેમનો પરિવાર અને પાર્ટીના સભ્યો તેમને કેવી રીતે જુએ છે.
'ભાજપને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ'
જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે તેઓ સતત સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને ભાજપને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે નોટિસનો જવાબ આપીને પોતાની જવાબદારી નિભાવી છે.
ગંગાજળનો મુદ્દો ઉગ્ર બન્યા બાદ, ભાજપે જ્ઞાનદેવ આહુજાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા અને તેમનો જવાબ માંગતી નોટિસ ફટકારી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech