મધ્યપ્રદેશના દેવાસમાં આજે વહેલી સવારે એક મોટી દુ:ખદ દુર્ઘટના સર્જાઈ છે. દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં મદન સોલંકી નામના વ્યકિતના ઘરમાં આગ લાગી હતી. આ ઘટના શનિવારે સવારે ૪.૩૦ વાગ્યે બની હતી. માહિતી મળતાની સાથે જ મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી
રહી છે.
આ આગમાં શ્વાસ ંધાવાથી ચાર લોકોના મોત થયા છે. મૃતકોના નામ પણ સામે આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં દિનેશ સુથારની ઉંમર ૩૫ વર્ષ, ગાયત્રી સુથાર ૩૦ વર્ષની, ઈશિકા ૧૦ વર્ષ અને ચિરાગ ૭ વર્ષનો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મકાનમાં બીજા માળે દિનેશ તેના પરિવાર સાથે રહેતો હતો અને ગ્રાઉન્ડ લોર પર દુધની ડેરી ચાલતી હતી. ડેરીમાં આગ લાગી હોવાની આશંકા છે, જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ ચાલુ છે.
આ ઘટના પોલીસ માટે પણ પડકાર બની જવા પામી છે . દેવાસના પોલીસ અધિક્ષક પુનીત ગેહલોતે જણાવ્યું હતું કે રાત્રે પેટ્રોલિંગ ડુટી પર રહેલા સૈનિકે સવારે ૪:૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પેારેશન અને પોલીસ કંટ્રોલ મને જાણ કરી હતી કે નયા પુરા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ ઘર મદન સોલંકીનું હોવાનું કહેવાય છે.આ મકાનમાં ગ્રાઉન્ડ લોર પર દૂધની ડેરી ચાલતી હતી, યારે પ્રથમ માળ ખાલી હતો અને બીજા માળે દિનેશ સુથાર, તેની પત્ની ગાયત્રી સુથાર, ૧ વર્ષની છોકરી ઈશિકા અને ૭ વર્ષનો છોકરો ચિરાગ હાજર હતો. માળ આ ઘટના બાદ પોલીસે યારે ઘરની અંદર જોયું તો ચારેય લોકો મૃત હાલતમાં હતા. પોલીસ અધિક્ષક પુનીત ગેહલોતે જણાવ્યું હતું કે મામલાની તપાસ કરવામાં આવી છે.
એસપીએ મૃત્યુ અંગે ત્રણ શંકા વ્યકત કરી
પોલીસ અધિક્ષક પુનીત ગેહલોતે ત્રણ પ્રકારની આશંકા વ્યકત કરી હતી. તેણે પહેલા આશંકા વ્યકત કરી છે કે ચારેય લોકોના મોત આગના કારણે થયા છે, યારે બીજું કારણ ગૂંગળામણ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. કારણ કે મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે આગથી બળી ગયા નથી.
ત્રીજું કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે ઐંઘ આવવાના કારણે ચારેય લોકોને ભાગવાની જગ્યા મળી ન હતી. આ દરમિયાન તે આગની લપેટમાં આવી ગયો અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યો. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ્ર થશે.
ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી
પોલીસ અધિક્ષક પુનીત ગેહલોતે કહ્યું કે ફોરેન્સિક ટીમ દ્રારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ આગનું કારણ જાણવાનો પ્રયાસ કરશે કારણ કે આગની ઘટના ગ્રાઉન્ડ લોર પર બની હતી અને સમગ્ર પરિવાર બીજા માળે રહેતો હતો. આવી સ્થિતિમાં મોતના કારણ અંગે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગની ઘટના બની હોવાની આશંકા છે, પરંતુ પહેલા માળે વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ ઉપરના સમગ્ર વિસ્તારને પણ લપેટમાં લઈ ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech