રાજ્યમાં નર્સિંગ સ્ટાફની 1,903 જગ્યાઓ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા યોજાયેલી ભરતી પરીક્ષા બાદ આન્સર કી જાહેર થતાં આન્સર કીમાં મોટાભાગના પ્રશ્નોના જવાબ એબીસીડીની સિક્વલમાં ગોઠવાયેલા હોવાથી અનેક ઉમેદવારોને 100 માંથી 95 જેટલા માર્ક્સ આવતા આ મુદ્દે ઉમેદવારો દ્વારા જ પરિક્ષાને લઇ કેટલીક શંકાઓ વ્યક્ત કરી એક પછી એક એમ 50 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી ભરતી પ્રકિયાને પડકારી હતી આ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે ભરતી પ્રક્રિયા પર હાલ કોઈ પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, જેનાથી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને નોંધપાત્ર રાહત મળી છે. આ ભરતી પ્રક્રિયા સામે 50થી વધુ ઉમેદવારોએ હાઇકોર્ટમાં પડકાર ફરકાવ્યો હતો, જેમાં પરીક્ષાની આન્સર કીમાં ગેરરીતિઓ અને પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં 46,000થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, હાલ ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ થયું છે.
આ વિવાદના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ જાહેર થયેલી ફાઇનલ આન્સર કીમાં પણ એબીસીડીનો જ ક્રમ જોવા મળ્યો, જેનાથી ઉમેદવારોનો આક્રોશ વધ્યો. જીટીયુના રજિસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “પેપર સેટ કરનાર ટીમે સિક્વન્સ નક્કી કરવામાં ભૂલ કરી હશે.” આ સમજૂતી ઉમેદવારોને સંતોષકારક લાગી ન હતી, અને તેમણે હાઇકોર્ટમાં ન્યાયની માગણી કરી.
જીટીયુએ આરોગ્ય વિભાગને વિગતવાર રિપોર્ટ સોંપ્યો છે, જેમાં ઉમેદવારોના માર્ક્સ, આન્સર કી, પેપરની રચના અને અન્ય તકનીકી માહિતીનો સમાવેશ થાય છે. જોકે, આરોગ્ય વિભાગે હજુ સુધી આ ભરતીને માન્ય રાખવી કે રદ કરવી તે અંગે કોઈ નક્કર નિર્ણય લીધો નથી, જેના કારણે ઉમેદવારોમાં અસમંજસનો માહોલ છે.
હાઇકોર્ટના નિર્ણય બાદ હવે આરોગ્ય વિભાગ અને જીટીયુ દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની નજર છે શું આ ભરતી પ્રક્રિયા આગળ વધશે, કે પછી વિવાદના દબાણમાં તેને રદ કરીને નવી પરીક્ષા લેવાશે? આ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો, 46,000થી વધુ ઉમેદવારોની નજર આરોગ્ય વિભાગના આગળના નિર્ણયો પર ટકેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech