સરકારી હોસ્પિટલોમાં રોગના ચેપ્ના ફેલાવાને રોકવા માટે, કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં કોણીની નીચે પહેરતા એટલે કે વીંટી, બંગડી, બ્રેસલેટ કે ઘડીયાળ જેવા ઘરેણાં ન પહેરવાની સૂચનાઓ જારી કરી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ હવે હેલ્થ વર્કર્સને ડ્યુટી દરમિયાન કોણીની નીચે કોઈપણ પ્રકારની જ્વેલરી પહેરવાની છૂટ નથી. આ ઉપરાંત, ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના રૂમમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા પણ કહેવામાં આવ્યું છે, જેમ કે આઈસીયુ, એચડિયુ અને ઓપરેશન થિયેટર.
સરકારી હોસ્પિટલોમાં રોગના ચેપ્નું જોખમ ઘટાડવા માટે આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. તાજેતરમાં, આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાં દર્દીઓ અને સ્ટાફ બંનેની સુરક્ષા અને આરોગ્યની કાળજી રાખવા અને ચેપ્ના ફેલાવાને રોકવા માટે લેવામાં આવી રહ્યા છે.
સરકારી હોસ્પિટલોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ’કાર્યસ્થળ પર જ્વેલરી સંબંધિત કેટલાક નિયમો વધુ કડક રીતે લાગુ કરવાની જરૂર છે. એવા નોંધપાત્ર પુરાવા છે કે કોણીની નીચે જ્વેલરી પહેરવાથી ત્વચા પર સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થાય છે. ખાસ કરીને મહત્વના વિભાગોમાં ફરજ પર હોય ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. આ ઓર્ડર તમામ હેલ્થકેર કર્મચારીઓ માટે તરત જ લાગુ થશે.આદેશમાં કહેવામાં આવ્યું છે કે ’સંક્રમણના ફેલાવાના જોખમને ઘટાડવા અને સ્વચ્છતા અને દર્દીની સંભાળના સર્વોચ્ચ ધોરણો હંમેશા જાળવવામાં આવે તેની ખાતરી કરવા માટે આ સાવચેતી જરૂરી છે. સંબંધિત હોસ્પિટલો હાથની સ્વચ્છતા અંગેના તેમના એસઓપીમાં ફેરફાર કરી શકે છે અને ખાસ કરીને જણાવે છે કે કયા વિસ્તારોમાં ઘડિયાળ પહેરવાની છૂટ છે. ઉપરાંત, નિયુક્ત વિસ્તારોમાં મોબાઇલ ફોનના ઉપયોગને મર્યિદિત કરવા માટે નીતિ ઘડવા અને અમલમાં મૂકવાની જરૂર પડી શકે છે.
તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં વિશ્વમાં હોસ્પિટલ સંબંધિત ચેપ્ની સૌથી વધુ ઘટનાઓ છે. ’એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ: એડ્રેસિંગ એ ગ્લોબલ થ્રેટ ટુ હ્યુમેનિટી’ શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં દર વર્ષે આવા 136 કરોડ કેસ નોંધાય છે, જેમાં સૌથી વધુ કેસ ચીન, પાકિસ્તાન અને ભારતમાં જોવા મળે છે. ’ભારતમાં હેલ્થકેર એસોસિયેટેડ ઇન્ફેક્શન સર્વેલન્સ’ શીર્ષકવાળા પેપર મુજબ, હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત ચેપી દર્દીઓની સારવાર દરમિયાન સૌથી સામાન્ય જટિલતાઓમાંની એક છે. આ અહેવાલ મુજબ, આ ચેપ દર્દીઓની બીમારીમાં વધારો કરી શકે છે, તેમના મૃત્યુનું કારણ બની શકે છે, હોસ્પિટલમાં રહેવાનો સમય વધારી શકે છે અને સારવારનો ખર્ચ પણ વધારી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech