પરડવામાં વાદળો ઘેરાયા પરંતુ અડધા ઇંચ વરસાદથી લોકોએ સંતોષ માન્યો: મહત્તમ તાપમાન 30.7 ડીગ્રીએ પહોંચ્યું
શ્રાવણ માસની શઆત પહેલા જ મેઘરાજાએ વિરામ લેવાનું નકકી કર્યુ છે ત્યારે ગઇકાલે વાંસજાળીયા અને પરડવામાં અડધો-અડધો ઇંચ વરસાદ થયો છે જયારે જામનગર શહેરમાં રાબેતા મુજબ અવારનવાર ઝાપટા પડતા રાજમાર્ગો ભીના થયા હતાં.
લેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 30.7 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 95 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે.
મેઘરાજાએ સમાણામાં 7 મીમી, શેઠવડાળા 4, ઘુનડા 2, ધ્રાફામાં 5 મીમી વરસાદ વરસાવ્યો છે. જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને કલ્યાણપુરમાં માત્ર ઝાપટા પડયા છે, આજે સવારે જામનગરમાં ફરીથી એક ઝાપટુ પડયું હતું અને વાદળીયું વાતાવરણ જોવા મળે છે ત્યારે છેલ્લા અઠવાડીયાથી શહેરમાં અવારનવાર ઝાપટા પડતા હોય લોકો પણ કંટાળી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMWhatsApp બનશે વધુ Private, પરમિશન વગર નહી થાય ફોટો/વિડીયો સેવ
April 08, 2025 04:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech