ફ્રાંસના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પદને સમર્થન આપ્યું છે. સંયુકત રાષ્ટ્ર્ર મહાસભામાં આપેલા ભાષણમાં મેક્રોને કહ્યું કે ફ્રાન્સ યુએનએસસીમાં કાયમી સભ્યોની સંખ્યા વધારવાનું સમર્થન કરે છે. મેક્રોને ભારત ઉપરાંત જર્મની, જાપાન, બ્રાઝિલ અને ૨ આફ્રિકન દેશોને યુએનએસસીમાં સભ્યપદ આપવાનું કહ્યું છે. મેક્રોને ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્ર્ર મહાસભામાં કહ્યું સુરક્ષા પરિષદને આપણે વધુ અસરકારક બનાવવાની જર છે. તેથી, ફ્રાન્સ સુરક્ષા પરિષદના વિસ્તરણના પક્ષમાં છે. આ સિવાય મેક્રોને તેના કામમાં ફેરફાર કરવા માટે સંગઠનમાં સુધારાની જરિયાત અંગે પણ વાત કરી હતી.
૨૧ સપ્ટેમ્બરે કવાડ દેશો દ્રારા જાહેર કરાયેલ સંયુકત નિવેદનમાં, તેઓએ યુએનએસસીમાં સુધારાની પણ વાત કરી હતી. તેમાં આફ્રિકન, એશિયન, લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોને સામેલ કરવાની વાત કહી હતી. હાલમાં યુએનએસસીમાં ૫ સ્થાયી સભ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. તેમાંથી ૪ દેશો ભારતને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ ચીન અવરોધ બની રહ્યું છે.
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સમિટને સંબોધિત કરતી વખતે સુરક્ષા પરિષદને ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે તેના અધિકારો ઘટી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેનું માળખું અને કાર્યપ્રણાલીમાં સુધારો નહીં કરવામાં આવે તો તે તેની વિશ્વસનીયતા ગુમાવશે. યુએનના વડાએ સ્પષ્ટ્ર આહ્વાન કયુ કે, અમે અમારા પૌત્ર–પૌત્રીઓ માટે તે જ સિસ્ટમ સાથે ભવિષ્યનું નિર્માણ કરી શકતા નથી જે અમારા દાદા–દાદી માટે બનાવવામાં આવ્યું હતું.
સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદ અથવા યુએનએસસી એ સંયુકત રાષ્ટ્ર્રના છ મુખ્ય અંગો પૈકીનું એક છે. આ યુએનની સૌથી શકિતશાળી સંસ્થા છે. તે આંતરરાષ્ટ્ર્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને યુએન ચાર્ટરમાં કોઈપણ ફેરફારોને મંજૂરી આપવા માટે જવાબદાર છે. કેટલાક કિસ્સાઓમાં યુએનએસસી આંતરરાષ્ટ્ર્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા અથવા પુન:સ્થાપિત કરવા પ્રતિબંધો અથવા બળનો ઉપયોગ કરી શકે છે. તેનો અર્થ એ છે કે જો ભારત પણ યુએનએસસીનું સ્થાયી સભ્ય બને તો વિશ્વના કોઈપણ મોટા મુદ્દા પર તેની સહમતિ જરી રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech