રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થાય છે. આદેશ મુજબ, તેઓ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ-1 ડો. પીકે મિશ્રા સાથે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ તરીકે કામ કરશે.
કેન્દ્ર સરકારની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, "કેબિનેટની નિમણૂક સમિતિએ શક્તિકાંત દાસ, IAS (નિવૃત્ત) (TN:80) ની વડા પ્રધાનના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી અમલમાં આવશે. તેમની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશો સુધી સહ-સમાપ્તિ ચાલુ રહેશે."
શક્તિકાંત દાસ ૧૯૮૦ બેચના IAS અધિકારી છે.
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની 67 વર્ષીય શક્તિકાંત દાસ 1980 બેચના તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકાર માટે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે. કેન્દ્રમાં, તેમણે વિવિધ તબક્કામાં આર્થિક બાબતોના સચિવ, નાણાં સચિવ અને ખાતર સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હીની પ્રખ્યાત સેન્ટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિટી બસની ગત વર્ષની ખોટ રૂ.૨૮ કરોડ, આ વર્ષે ૩૫ કરોડની ખાધ થવાનો અંદાજ
April 19, 2025 03:34 PMવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech