દિલ્હી પોલીસ વિવિધ દેશોમાંથી દિલ્હી આવેલા ૬૨ હજાર ગુમ વિદેશી નાગરિકોને શોધી રહી છે. ભારતમાં આ વિદેશી નાગરિકોના વિઝા સમા થઈ ગયા હતા, પરંતુ સરકાર પાસે તેમના વિશે કોઈ માહિતી નથી. વિદેશ મંત્રાલયે પોલીસને આ માહિતી આપી છે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આવા લોકોને શોધી કાઢવા સૂચના આપી છે.
માહિતી અનુસાર છેલ્લા કેટલાક વર્ષેામાં ભારત આવેલા લાખો વિદેશી નાગરિકો ગુમ છે. આ વિદેશી નાગરિકો ભારત ભણવા, સારવાર લેવા અથવા મુસાફરી કરવા આવ્યા હતા, પરંતુ વિઝાની મુદ્દત પૂરી થઈ છે ત્યારથી તેમના વિશે કોઈ માહિતી નથી. સરકાર પાસે પણ સ્પષ્ટ્ર માહિતી નથી કે આવા લોકોએ વિઝા વધારવા માટે અરજી કરી છે કે નહીં.
ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં નાઈજીરીયા અને અફઘાનિસ્તાનના લોકો છે. ઈમિગ્રેશન વિભાગે આવા લોકોની યાદી તૈયાર કરીને દિલ્હી પોલીસને સોંપી છે. આ અંગે માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું કે વિદેશ મંત્રાલયે ગુમ થયેલા વિદેશી નાગરિકોની તમામ માહિતી ડોંગલ દ્રારા મોકલી છે. ડોંગલ દરેક જિલ્લાના એડિશનલ ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું છે. તેમને એવા વિદેશી નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી છે જેમણે તેમના વિસ્તારના સરનામાં આપ્યા હતા.
પોલીસને શંકા છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો ગુનાખોરીમાં સામેલ હોઈ શકે છે. ઘણી વખત વિદેશી નાગરિકો ડ્રગ સ્મગલિંગના કેસમાં પકડાયા છે. આવી સ્થિતિમાં તેમને પકડીને વિદેશ મોકલી દેવાથી પણ ગુનાખોરીમાં ઘટાડો થઇ શકે છે.
વિદેશી નાગરિકે ભારત આવતા પહેલા વિઝા મેળવવો પડે છે. જો તે વધારાનો સમય લેતો હોય તો તે વિઝાની મુદત પૂરી થાય તે પહેલા તેને એકસટેંશન માટે અરજી કરે છે. જો કોઈ વ્યકિતએ વિઝા વધારવા માટે અરજી કરી હોય તો પણ તેને દેશનિકાલ કરવામાં આવતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech