ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ, વિદેશી રોકાણકારોએ ભારતમાંથી 7,342 કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા છે.જો કે ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે આમાં હજુ ઔર ઘટાડો થવાની શક્યતા છે.અમેરિકાએ ચીન, મેક્સિકો અને કેનેડા પર ભારે ટેરિફ લાદતાની સાથે જ વિશ્વભરમાં વેપાર યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આનાથી ભારતના વિદેશી રોકાણકારો પણ ડરી ગયા છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 7,342 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. જાન્યુઆરીની શરૂઆતમાં, એફપીઆઈએ ભારતીય બજારોમાંથી રૂ. 78,027 કરોડ પાછા ખેંચી લીધા હતા, જ્યારે ડિસેમ્બરમાં તેમણે રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું હતું. નિષ્ણાતોના મતે, વૈશ્વિક પરિબળોને કારણે વિદેશી રોકાણકારો ભારતના બજારની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
શેરબજારના નિષ્ણાતો માને છે કે ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે, એફપીઆઈ વેચાણ ઘટવાની ધારણા છે. આનું એક મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં નરમાઈનું વલણ છે. અમેરિકન બોન્ડ્સ પણ હવે નબળાઈ બતાવી રહ્યા છે. આ ઉપરાંત, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ટકાઉપણું આર્થિક વૃદ્ધિ અને કંપ્નીઓની આવકમાં સુધારા પર પણ નિર્ભર રહેશે. એ વાત જાણીતી છે કે એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલીઓ ઇન્વેસ્ટમેન્ટએ 2024માં ભારતીય શેરમાં માત્ર રૂ. 427 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
ભારતીય ચલણ પણ નબળું પડતા એફપીઆઈ રોકાણનું જોખમ ટાળે છે
શેરબજારના નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક પરિબળોમાં અનિશ્ચિતતાને કારણે, વિદેશી રોકાણકારોએ જોખમ ન લેવાનું પસંદ કર્યું છે. આ કારણે તેઓ ભારત જેવા ઉભરતા બજારોમાંથી ખસી રહ્યા છે. ભારતીય ચલણ પણ નબળું પડ્યું છે અને પહેલીવાર 87 રૂપિયા પ્રતિ ડોલરથી નીચે આવી ગયું છે. રૂપિયાની નબળાઈને કારણે, વિદેશી રોકાણકારોનો નફો ઘટે છે અને ભારતમાં રોકાણ કરવું હવે તેમના માટે ફાયદાકારક નથી. આના કારણે એફપીઆઈ પણ વેચવા મજબૂર થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની નોટીસ બાદ દબાણો દૂર થતાં રાહત
May 19, 2025 10:38 AMહાપા રેલ્વે સ્ટેશન: જામનગરના ઔદ્યોગિક કોરિડોરનું આધુનિક પ્રવેશદ્વાર
May 19, 2025 10:37 AMકાલાવડના અરજદારની ડીલે કોન્ડોન કરવાની રીવીઝન રદ કરતા કલેક્ટર
May 19, 2025 10:33 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના એન.એફ.એસ.એ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકો જોગ
May 19, 2025 10:33 AMવેંચાણ દસ્તાવેજ રદ કરવા તેમજ કબજો પરત મળવા અંગે કરેલ દાવો નામંજુર કરતી અદાલત
May 19, 2025 10:32 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech