સલાયાના દ્વારકાધીશની હવેલી તેમજ રામમંદિરમાં યોજાયો ફૂલડોલ ઉત્સવ

  • March 15, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બારા જમુનેશપ્રભુજીની બેઠકમાં પણ ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક મનાવાયો


સલાયામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધુળેટીના પવિત્ર દિવસે ધામધૂમ પૂર્વક ફૂલડોલ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સલાયાની શ્રી દ્વારકાધીશજિની હવેલીમાં તેમજ શ્રી રામ મંદિરમાં બપોરે ફુલડોલ ઉત્સવ યોજાયો હતો. જેમાં ઠાકોરજીને સંગે વૈષ્ણવોએ પણ ભાતભાતના કલરોથી રંગોત્સવ મનાવ્યો હતો. મુખ્યાજી વામનભાઈ તેમજ રામમંદિરના મુખ્યાજી પ્રવિણભાઇએ ઠાકોરજીને શ્વેત રંગના વસ્ત્રોના શણગાર કરી અલૌકિક દર્શનનો લાભ લેવડાવ્યો હતો.


સલાયા પાસે આવેલ બારા ગામે જમુનેશ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. જેમાં અદાશ્રી કિશોર અદા દ્વારા ઠાકોરજીને વિવિધ શણગાર કરવામાં આવ્યા હતાં. તેમજ ભજન કિર્તન સાથે ધામધૂમ પૂર્વક ફૂલડોલ ઉત્સવ યોજાયો હતો. બાદમાં સર્વે વૈષ્ણવોં દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ સલાયા તેમજ આજુબાજુના ધાર્મિક સ્થાનોમાં ભાવભેર ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application