ભાવનગર મહાપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ યોજના સંદર્ભે શહેરના ગઢેચીવડલાથી કુંભારવાડા, મોતીતળાવ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અડચણરૂપ હોય અગાઉ મહાપાલિકા દ્વારા આ તમામ અડચણરૂપ બાંધકામોના આસામીઓનવા નોટીસ આપી નિયત સમયમાં આધારો રજૂ કરવા સૂચનાઓ આપી હતી. જે પૈકી કેટલાક આસામીઓ દ્વારા આધારો રજૂ કર્યા હતા. ત્યારબાદ મહાપાલિકા દ્વારા અડચણરૂપ એવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આપેલી આખરી નોટીસ બાદ નોરીસમાં આપેલ સમયમર્યાદા પૂર્ણ થતા જ આજે મહાપાલિકાની જુદીજુદી બે ટીમો શહેરના કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં ત્રાટકી હતી. અને ફેઝ -૪માં ૨ હિટાચી તેમજ ૪ જેસીબી વડે ગઢેચી શુદ્ધિકરણ યોજનામાં અડચણરૂપ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ હાથ ધરી છે. સવારથી શરૂ કરાયેલી ફેઝ -૪માં કાર્યવાહી દરમ્યાન બપોર સુધીમાં યોજનામાં અડચણરૂપ ૩૫થી વધુ દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવાઈ હોવાનું મહાપાલિકાના એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીરાસર એરપોર્ટ પર પાણીની બૂમરાણ, મુસાફરો પીવાના પાણી માટે મારે છે વલખાં
March 17, 2025 08:03 PMઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ના સંસ્કૃત વિષયના પેપરમાં ૯૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
March 17, 2025 05:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech