ખંભાળિયાની બદિયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્ર યજ્ઞ

  • March 28, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત બદિયાણી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 ના રોજ નેત્ર નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


યુ.કે. સ્થિત નિરંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો તેમજ ટેક્નિશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ લઈ જઈ અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.


આ નેત્ર કેમ્પનો સવારે 9 થી 11:30 વાગ્યા સુધી લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને માનવસેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application