હાપીવાડી અને તરઘડી ગામે પુષ્પવૃષ્ટિ સાથે ભજન અને રામધૂનની રમઝટ સહિતના વિવિધ આયોજનો
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના હાપીવાડી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ભગવાન શ્રીરામની સુશોભિત જીપમાં નગરચર્યા યોજવામાં આવી હતી. જેમાં પુષ્પવૃષ્ટિ સાથે ભજન અને રામધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમને નિહાળી અને ગ્રામજનો અભિભૂત થઈ ગયા હતા. આ માટે શાળાના શિક્ષિકા માયાબેન સોનિગ્રા, ભરતભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના તરઘડી દેવરીયા ગામે કરવામાં આવેલી ઉજવણીમાં બપોરે બટુક ભોજન તથા સાંજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા અને રાત્રે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે સ્થાનિક અગ્રણી નરેન્દ્રસિંહ સુજુભા જાડેજા, બહાદુરસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ સુજુભા જાડેજા, દિલીપસિંહ, નરેન્દ્રસિંહ, વિક્રમસિંહ, સહિતના ગ્રામજનો સાથે જોડાયા હતા. અને સર્વત્ર ધર્મમય માહોલ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech