જામનગરમાં ગેરકાયદે મંજૂરી વગરનો મેળો એસ્ટેટ શાખાએ બંધ કરાવ્યો

  • March 17, 2025 10:09 AM 

ભીડભંજન મહાદેવ મંદિર પાસે ફરીથી શરૂ થયેલો


જામનગરમાં ભીડભંજન મહાદેવના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના બાળકોની મનોરંજન રાઈડ સાથેનો મેળો શરૂ કરી દેવાયો હતો. જે અંગે ની માહિતી મળતાં એસ્ટેટ શાખાની ટુકડી દોડતી થઈ હતી, અને તાત્કાલિક અસરથી મેળો બંધ કરાવી દેવામાં આવ્યો છે.


ઉપરોક્ત સ્થળે છેલ્લા એકાદ માસથી નાની બાળકોની મનોરંજનની રાઈડ સાથેના મેળાનું ખાનગી પાર્ટી દ્વારા આયોજન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની મહાનગર પાલિકાની કચેરી માંથી ફાયર એન.ઓ.સી. લેવાઇ નથી, અથવા તો મેળો ચાલુ કરવા માટેનું પરફોર્મન્સ લાયસન્સ અથવા તો તેને લગતી કોઈ પ્રક્રિયાઓ કરવામાં આવી ન હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીએ સૌપ્રથમ તાત્કાલિક અસરથી મેળો બંધ કરાવ્યો છે, અને મેળા ના સંચાલકોને તેના જરૂરી કાગળો રજૂ કરવા માટે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News