ભીડભંજન મહાદેવ મંદિર પાસે ફરીથી શરૂ થયેલો
જામનગરમાં ભીડભંજન મહાદેવના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના બાળકોની મનોરંજન રાઈડ સાથેનો મેળો શરૂ કરી દેવાયો હતો. જે અંગે ની માહિતી મળતાં એસ્ટેટ શાખાની ટુકડી દોડતી થઈ હતી, અને તાત્કાલિક અસરથી મેળો બંધ કરાવી દેવામાં આવ્યો છે.
ઉપરોક્ત સ્થળે છેલ્લા એકાદ માસથી નાની બાળકોની મનોરંજનની રાઈડ સાથેના મેળાનું ખાનગી પાર્ટી દ્વારા આયોજન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની મહાનગર પાલિકાની કચેરી માંથી ફાયર એન.ઓ.સી. લેવાઇ નથી, અથવા તો મેળો ચાલુ કરવા માટેનું પરફોર્મન્સ લાયસન્સ અથવા તો તેને લગતી કોઈ પ્રક્રિયાઓ કરવામાં આવી ન હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીએ સૌપ્રથમ તાત્કાલિક અસરથી મેળો બંધ કરાવ્યો છે, અને મેળા ના સંચાલકોને તેના જરૂરી કાગળો રજૂ કરવા માટે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
March 17, 2025 01:07 PMજામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગની ઘટના
March 17, 2025 01:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech