ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં હવે ખટાશ વધવા લાગી છે. એક તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે પહેલેથી જ મંજૂર બેન્ડવિડથ ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ રદ કરી દીધું. બીજી તરફ તે બટાકા અને ડુંગળીની આયાત માટે ભારત સિવાયના અન્ય ક્રોતો પર વિચાર કરી રહી છે. જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સ્થિતિ આ રીતે જ બગડતી રહેશે અને ભારત બાંગ્લાદેશમાં કેટલીક વસ્તુઓની નિકાસ કરવાનું બધં કરી દેશે તો બાંગ્લાદેશના લોકોની થાળીમાંથી ઘણી વસ્તુઓ ગાયબ થઈ જશે.
જો ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સ્થિતિ એટલી ખરાબ થઈ જશે કે બંને દેશો વચ્ચે આયાત–નિકાસ બધં થઈ જશે તો તેની સૌથી વધુ અસર ઘઉં પર પડશે. બાંગ્લાદેશ દર વર્ષે ભારતમાંથી ઘઉંની ઘણી આયાત કરે છે. વર્ષ ૨૦૨૧–૨૨માં ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ કરાયેલ ઘઉંનું મૂલ્ય ૧૧૯.૧૬ કરોડ ડોલર હતું. તે જ સમયે ૨૦૨૦–૨૧માં ઘઉંની નિકાસનો આ આંકડો ૩૧૦.૩ મિલિયન ડોલર હતો. એટલે કે જો ભારત બાંગ્લાદેશને ઘઉંની સપ્લાય બધં કરી દે તો ત્યાંના લોકોની થાળીમાંથી રોટલી ગાયબ થઈ જશે.
ઘઉં ઉપરાંત બાંગ્લાદેશના લોકો ચોખા માટે પણ તડપશે. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવતી ત્રીજી સૌથી મોટી વસ્તુ ચોખા છે. વર્ષ ૨૦૨૧–૨૨માં બાંગ્લાદેશમાં કુલ ૬૧૩.૯ મિલિયન ડોલરના ચોખાની નિકાસ કરવામાં આવી હતી. તેનો અર્થ એ છે કે જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સ્થિતિ વણસે તો તેની અસર ત્યાંના લોકોની થાળીમાં રહેલા ભાત પર પણ પડશે. ઘઉં અને ચોખાની જેમ ભારત બાંગ્લાદેશને ખાંડ પણ સપ્લાય કરે છે. વર્ષ ૨૦૨૧–૨૨માં ચીને ભારતથી બાંગ્લાદેશમાં લગભગ ૫૬૫.૯ મિલિયન ડોલરની નિકાસ કરી હતી. ૨૦૨૦–૨૧માં આ આંકડો ૭૪.૭ મિલિયન ડોલર હતો. આનાથી સ્પષ્ટ્ર છે કે જો ભારત બાંગ્લાદેશમાં ખાંડ મોકલવાનું બધં કરશે તો ત્યાંના લોકોને મીઠાઈ નહીં મળે. આ સાથે દૂધ પણ ફિકું પીવું પડશે. આ ઉપરાંત ભારતમાંથી બાંગ્લાદેશમાં ફળો, શાકભાજી, મસાલા, કપાસ, તેલ ભોજન અને અન્ય પ્રોસેસ્ડ વસ્તુઓની નિકાસ પણ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૫તિ-પત્નીનું સુખદ સમાધાન કરાવતી જામનગર ૧૮૧ અભયમ ટીમ
April 12, 2025 12:33 PMહાલારમાં મારુતિ નંદનના જન્મદિવસની ભકિતભાવ ભેર ઉજવણી
April 12, 2025 12:31 PMઆજકાલ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો જામનગર
April 12, 2025 12:25 PMજમ્મુ-કાશ્મીરમાં સેનાએ જૈશના 3 આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ
April 12, 2025 12:24 PMઆજે તક્ષશીલા સંકુલમાં પરશુરામ મંદિર માટે શિલાપૂજનનો કાર્યક્રમ
April 12, 2025 12:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech