ઓવરલોડને કારણે એક જ જગ્યાએ બે વાર કેબલ બળી જતાં ફોલ્ટ સર્જાવાથી સ્થાનિક લોકો રોષે ભરાયા: પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી લેવાતાં લોકોએ હાશકારો અનુભવ્યો
જામનગરના લીમડાલેન વિસ્તારમાં ગત રાત્રી ના ૧૨ કલાકે રાજ લક્ષ્મી બેકરીની બાજુમાં આવેલ ટ્રાન્સફોર્મર માં ધડાકા ભેર અવાજ આવતાં લીમડા લાઈન તથા રજપુતપરા વિસ્તારમાં પાવર સપ્લાય બંધ થયો હતો.
જે ફરિયાદના પગલે સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી ના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા તેમની ટેકનીકલ ટીમ તાત્કાલિક ધોરણે સૂચના આપતાં ટીમ સ્થળ પર પહોંચી હતી, અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી. જ્યાં બે ગાળા ના મોટા કેબલ બળી ગયા હતા, તેમને ચાલુ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ફરી આ જ જગ્યા એ તેમજ અન્ય જગ્યાએથી કેબલ બળી જતાં ફરી આ વિસ્તારના એક ટ્રાન્સફોર્મર નો વીજ પુરવઠો ખોરવાયો હતો,. જેથી આ વિસ્તાર તથા અહીના એપાર્ટમેન્ટના અમુક લોકો લાલ બંગલો વીજ કચેરીએ પહોંચ્યા હતા,. અને ત્યાં ફોલ્ટ સેન્ટરની અંદર ઘુસી જઇ ટેલીફોન ઓપરેટરને ઘેરી લીધા હતા. અને તાત્કાલિક આ વિસ્તારનો પાવર સપ્લાય ચાલુ કરવામાં આવે તો જ કચેરી છોડશે તેવું જણાવવામાં આવ્યું હતું
આ સમયે નવાગામ તથા ભીમવાસ તથા અન્ય વિસ્તારોમાં કામ કરી રહેલી સેન્ટ્રલ ઝોનની ટેકનીકલ ટીમ તાત્કાલિક આ સ્થળ પર કામ કરવા ફરી રાત્રીના ૨ વાગ્યે પહોંચી હતી, અને ફરી રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. અને એકાદ કલાક ની મહેનત બાદ નવો એલટી. કેબલ સાથે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.
આ વિગત સંબંધિત અધિકારીને પૂછતા જણાવેલ છે કે આ વિસ્તારના આ ટ્રાન્સફોર્મર માં આવતા વીજ ગ્રાહકો ની વીજ જોડાણ ની જેટલી નિયમ મુજબની માંગણી છે, તેમના કરતા બિન અધિકૃત રીતે વધુ વીજ ભાર નો વપરાશ કરતા હોવાથી જે કેપેસીટીનાં એલ.ટી. કેબલ નાખવામાં આવેલા છે, તેમાં ઓવરલોડ નાં કારણે અલગ અલગ જગ્યાએથી પ્રતિભાવ મળે છે એટલે વીજ પુરવઠો ખોરવાઈ છે. આ બાબતે આ વિસ્તાર ના ગ્રાહકોને વીજભાર માં વપરાશ મુજબ કાયદેસર ની માંગણી કરી લેવા જણાવાયું છે.
પરંતુ કોઈ દ્વારા આ બાબતે હકારાત્મક પગલાં લેવામાં આવતા નથી અને ઓવરલોડ ને કારણે કેબલ બળવવાના પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે.
ઉલ્લેખનીય છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલમાં ગરમી ને કારણે દરેક ઘરોમાં પંખા તથા એસી નો ઉપયોગ વધી રહ્યો છે, તેમજ આટલા ગરમ વાતાવરણમાં ઓવરલોડ ને કારણે એલ. ટી. કેબલ બળવાના તથા સ્પાર્ક થવાના બનાવો ની ફરિયાદો વધુ નોંધાય છે. અને જેના કારણે કચેરી સ્ટાફ ને હાલમાં વધુ વીજ ફરિયાદો નિવારવામાં દોડ ધામ વધી જવા પામી છે.
નાયબ ઇજનેર દ્વારા લોકોને જણાવવામાં આવે છે કે જ્યારે પણ ગ્રાહકો પોતાના ઘરમાં વીજ ભારનો વધારો કરે એટલે કે કોઈ વધુ વીજ ઉપકરણો વસાવે તો તેમની જાણ ક્ષેત્રીય કચેરીને અચૂક કરે અને કરારીત વીજભાર માં વધારો મેળવવાની કાર્યવાહી હાથ ધરે. તેમજ જો કોઈ વિસ્તારમાં વીજભારમાં વધારો હોય અને હયાત ઇલેક્ટ્રીક નેટવર્ક ને મોટું કરવાની જરૂરિયાત ઊભી થાય તો પોલ અને ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવે ત્યાં બિન જરૂરી વાંધા ઉપસ્થિત ન કરે અને નેટવર્ક ઉભુ કરવામાં સહયોગ આપે. અને ગ્રાહકો કરારિત વીજભાર કરતા વધુ વીજભારનો વપરાશ ન કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech