દ્વારકા જગતમંદિરમાં કાળિયા ઠાકોરને સુકા મેવાનો મનોરથ

  • May 26, 2025 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખો કૃષ્ણ ભક્તોએ ઓન-લાઇન કર્યા દર્શન


દ્વારકાધીશ જગતમંદિરમાં વિશેષ આયોજન થયું. ઠાકોરજીના ઉત્થાપન સમયે સુકા મેવા મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ મનોરથ ઠાકોરજીના એક ભાવિક ભક્ત દ્વારા વારાદાર પૂજારીના સહયોગથી યોજવામાં આવ્યો.


મંદિરમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય મનોરથના દર્શનનો લાભ લીધો. વિશેષ રૂપે, ઓનલાઈન માધ્યમો થકી દેશ-વિદેશમાં વસતા લાખો કૃષ્ણભક્તોએ પણ આ દર્શન કર્યા. તેઓ આ દિવ્ય દર્શનથી ભાવવિભોર બન્યા.


દ્વારકાધીશ જગતમંદિરમાં વિવિધ મનોરથોનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. અહીં ધ્વજારોહણ ઉપરાંત ઠાકોરજીના અન્નકૂટ મનોરથ, કુંડલા ભોગ, કુનવારા ભોગ, સુકા મેવા ભોગ અને આંબા મનોરથ જેવા વિવિધ મનોરથો નિયમિત રીતે યોજવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application