ખજૂરનું નામ સાંભળતા જ આપણા મનમાં સ્વાસ્થ્ય અને સ્વાદનો વિચાર આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે અને તેને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. શિયાળામાં શરીરને હૂંફ આપવાની હોય કે મીઠી વાનગી બનાવવાની હોય, ખજૂર દરેક જગ્યાએ ફિટ બેસે છે. પણ શું જાણો છો કે ખજૂર જેટલી ફાયદાકારક છે, તેના ઠળિયા પણ એટલા જ ફાયદાકારક હોય શકે? આપણામાંથી મોટાભાગના લોકો ખજૂર ખાધા પછી તેના ઠળિયા ફેંકી દે છે.
ખજૂરના ઠળિયા પોષક તત્વો અને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં ઘણી રીતે કરી શકો છો. જાણો ખજૂરના ઠળિયાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તે આપણા સ્વસ્થ અને રોજિંદા જીવન માટે કેટલા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ખજૂરના ઠળિયાનો ઉપયોગ
1. પાવડર બનાવીને હેલ્ધી ડ્રિંક તરીકે પીવો
ખજૂરના ઠળિયાને સૂકવીને પાવડર બનાવી શકાય છે. આ પાવડરનો ઉપયોગ કોફી જેવા પીણાં બનાવવા માટે કરી શકાય છે. કેફીન-મુક્ત હોવા ઉપરાંત તે એન્ટીઑકિસડન્ટોથી પણ સમૃદ્ધ છે.
2. ત્વચા અને વાળની સંભાળમાં
ખજૂરના ઠળિયાના પાવડરનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરી શકાય છે. તે મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તેના તેલનો ઉપયોગ વાળને મજબૂત બનાવવા અને વાળ ખરતા અટકાવવા માટે કરી શકાય છે.
૩. પાચન માટે ફાયદાકારક
ખજૂરના ઠળિયામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને પાવડર સ્વરૂપે ખાવાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
4. છોડ માટે કુદરતી ખાતર
ખજૂરના ઠળિયાને સૂકવીને પીસીને કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. તે જમીનની ગુણવત્તા સુધારે છે અને છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
ખજૂરના ઠળિયાના ફાયદા
ખજૂરનો પાવડર કેવી રીતે તૈયાર કરવો?
ખજૂરના ઠળિયાને સારી રીતે ધોઈ લો અને તડકામાં સૂકવી લો. સુકાઈ ગયા પછી તેને હળવા હાથે શેકી લો. જેથી તેનો ભેજ સંપૂર્ણપણે દૂર થઈ જાય. ઠંડા થયા પછી આ બીજને ગ્રાઇન્ડરમાં પીસીને પાવડર બનાવો. આ પાવડરને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech