આજી-ન્યારી ડેમે ચોમાસા પૂર્વે સઘન સફાઇ- મેન્ટેનન્સ કરો: પાણી પુરવઠા મંત્રીનો આદેશ

  • May 16, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ સિંચાઇ યોજના સંલગ્ન રાજકોટના માધાપર પાસે આવેલા આજી-૨ ડેમ તેમજ રંગપર પાસે આવેલા ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ તેનું સર્વેક્ષણ કર્યું હતું.સાઇટ વિઝીટ દરમિયાન મંત્રીએ હાલમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી સિંચાઈ યોજના અન્વયે આસપાસના ગામોને મળતા લાભ અંગે વિગતે માહિતી મેળવી હતી.

મંત્રી કુંવરજીભાઇએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત, સાઈનેજીસ મુકાવવા તેમજ સાફ-સફાઈ અંગે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને ડેમ સિંચાઇ યોજના સાથે જોડાયેલા છે. આસપાસના ગામોમાં ખેડૂતોને ખેત વપરાશ માટે ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે.આ તકે સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર પ્રેક્ષા ગોસ્વામી, પડધરી મામલતદાર તેમજ સિંચાઈ વિભાગના કર્મીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પુરી પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application