હળવદનું વર્ષેા જૂનું ઐતિહાસિક સામંતસર સરોવર જે પહેલા લોકો માટે ઉપયોગી હતું પરંતુ આજે તત્રં દ્રારા યોગ્ય જળવણીના અભાવે આ તળાવ બિન ઉપયોગી બન્યું છે હળવદ સામતસર તળાવ અગાઉ સ્વચ્છતા તથા વિકાસ્ માટે લાખો પિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી સામંતસર સરોવર સફાઈ કરી ઐંડા ઉતારવા તરફ તત્રં બે ધ્યાન લાગતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, આ તળાવની સફાઈ કરી તળાવને ઐંડા ઉતારી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો લોકોને હરવા ફરવા માટે નવી સુવિધા મળી શકે તેમ છે આથી તળાવની સફાઈ કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઊઠવા પામી છે.
હળવદનું વર્ષેા જૂનું ઐતિહાસિક શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલું સામંતસર સરોવરમાં વરસાદી પાણી અથવા અન્ય સ્તોત્ર દ્રારા પાણીથી ભરવામાં આવતા હતા તે સમયે પશુઓ માલઢોરો તેમજ લોકોને વાપરવા માટે પાણીથી સહેલાઈ મળી રહેતું હતું પરંતુ તંત્રની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે ગંદકીથી ખદબદત્તું જોવા મળે છે, થોડા સમય પહેલા હળવદની સામાજિક સંસ્થા દ્રારા ગંદકી દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.પરંતુ હાલમાં હળવદનું વિશાળ ઐતિહાસિક સામતસર સરોવર ગંદકીના અને કચરાના ઢગ નજરે પડી રહ્યા છે તેમજ તળાવમાં જંગલી ઘાસ પણ ઊગી નીકળ્યું છે. અહીં પાલિકા તત્રં દ્રારા કપડાં ધોવા માટે ઘાટ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ ઘાટ પર કચરો જામ થતાં ઘાટ પણ બિન ઉપયોગી બન્યા છે. ત્યારે હળવદ પાલિકા દ્રારા સત્વરે તળાવની સફાઇ,તળાવનું રીનોવેશન, તળાવને ખોદી ઐંડા કરી પાણીનો સંગ્રહ કરવામાં આવે અને લોક ઉપયોગી બનાવવા માગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech