ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ખોડીયાર સહિતના મંદિરોમાં ભાવિકો ઉમટ્યા

  • March 31, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ગઈકાલે તા. ૩૦ માર્ચને રવિવારે ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે.ભાવિકોએ સવારે પોતાના ઘેર આસ્થાભેર ઘટ સ્થાપન કરી નવરાત્રિ વ્રતનો પ્રારંભ કર્યો હતો.નવરાત્રિમાં માતાજીનું પૂજન, અર્ચન, સ્તુતિ,અનુષ્ઠાન, ઉપવાસ અને એકટાણા કરી નવરાત્રિ પર્વની ભાવભેર ઉજવણી કરાઈ રહી છે.નવરાત્રિના પ્રારંભ સાથે જ ભાવનગરના નાના - મોટા અંબાજી મંદિર, વડવાળા ચામુંડા માતાજીના મંદિર,સંસ્કાર મંડળ ખાતે ખાંડીયા કૂવા વાળા ખોડિયાર મંદિર,બહુચરાજી માતાજીના મંદિર તેમજ જિલ્લાના સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર મંદિર,સિહોરના સિહોરી માતાજી,મહુવાના ભવાની માતાજીના મંદિર વગેરે મંદિરોમાં સવારથી જ બહોળી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.નવરાત્રિમાં ભાવિકો માતાજીની ભક્તિમાં લીન બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application