રામ વનમાં રામનવમીએ નિ:શુલ્ક પ્રવેશ છતાં ફક્ત ૧૮૨૯ મુલાકાતીઓ આવ્યા

  • April 08, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામ વનમાં રામ નવમીએ નિઃશુલ્ક પ્રવેશ આપવાની જાહેરાત કર્યા પછી પણ ફક્ત ૧૨૮૯ મુલાકાતીઓ આવ્યા હતા. રામ વનમાં સુવિધાઓનો વ્યાપક અભાવ હોય અને શહેરથી દૂર હોય કોઇ જતું નથી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિ:શુલ્કની પ્રવેશ આપવામાં આવેલ. જેમાં કુલ ૧૮૨૯ મુલાકાતીઓએ રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી રામવનની મુલાકાત લીધી હતી. રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશના નિર્ણયથી ૩ થી ૧૨ વર્ષના કુલ ૩૦૭ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૫૨૨ સહીત કુલ ૧૮૨૯ મુલાકાતીઓએ રામવનની નિઃશુલ્ક મુલાકાત લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application