રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ શિંદેએ રતન ટાટાને દેશનું ગૌરવ ગણાવ્યા છે. રતન ટાટાના નિધન પર સીએમ શિંદેએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે મુંબઈના વર્લી વિસ્તારમાં કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે. લોકો બપોરનાં 3.30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે.
રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ
શિવસેના શિંદે જૂથના નેતા અને સીએમનાં નજીકના વ્યક્તિ રાહુલ કનાલે રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ માટે તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું હતું કે રાજ્ય સરકારે ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. આ સ્વીકાર તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, પીઢ ઉદ્યોગપતિ, પદ્મ વિભૂષણ રતન ટાટાના માનમાં આજે મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક મનાવવામાં આવશે. રતન ટાટાને શ્રદ્ધાંજલિ રૂપે આ સરકારી અંતિમ સંસ્કાર હશે. આ સમયગાળા દરમિયાન રાજ્યની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને કોઈ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech