જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મામલતદારને પાઠવાતું આવેદનપત્ર
જામજોધપુર તાલુકામાં અતિ ભારે વરસાદ હોય ખેડૂતના પાકને નુકશાની એ અને જમીનનુ ધોવાણ થયુહોય જેમને કારણે ભારે નુકશાન થયુ હોઈ જેથી લીલો દુષ્કાળ જાહેર કરવા તેમજ જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર રોડ રસ્તાનાના પુલ વગેરેનુ ધોવાણ થઈ ગયુ હોઈ જે તાત્કાલીત સમારકામ કરાવવા તેમજ ભારે વરસાદના કારણે પશુપાલકોના માલ-ઢોરના મૃત્યુ પામ્યા છે, જેમનું પણ સર્વે હાથ ધરી સહાય આપવાની માંગ કરવામાં આવી હતી.
આ તકે જામજોધપુર કોંગ્રસ દ્વારા જિલ્લા પ્રમુખ મનોજભાઈથી કથીરીયા, જીલ્લા કિશાન કોંગ્રેસ પ્રમુખ પી.આર. જાડેજા, તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા, શહેર કોંગ્રસ પ્રમુખ જમનભાઈ કંટારીયા, પૂર્વપ્રમુખ શૈલેષગીરીગોસ્વામી, માલધારી સમાજના રતાભાઈ ભરવાડ, ઓ.બી.સી. સમાજના માલદેભાઈ શીર, જામજોધપુર તાલુકા કિશાન સંઘના પ્રમુખ ગીરૂભા જાડેજા, જામજોધપુર તાલુકા લઘુમતી વિભાગના ચેરમેન હાજીભાઈ મહમદભાઈ સફીયા સહિત શહેર-તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતીમાં એક આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech