હાર્ટ એટેકથી મોતનો સીલસીલો અટકવાનો નામ લેતો ન હોય તેમ રાજકોટમાં વધુ બે વ્યકિતના હૃદય રોગાના હત્પમલાથી મૃત્યુ થયું છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલના નસિગ વિભાગના ઇન્ચાર્જ મેટ્રન અને મ્યુ. કોર્પેારેશનના કર્મચારીના ઘરે ઢળી પડયા બાદ મોત થયા છે. બંનેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં ફરજ પરતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવને પગલે બંનેના પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
પ્રા થતી વિગતો મુજબ, આકાશવાણી ચોક પરિમલ સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ ગોવિંદભાઇ હત્પંબલ (ઉ.વ.૫૭) સવારે ઘરે એકાએક ઢળી પડયા હતાં.જેથી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.મૃતક રાજેશભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્ર છે જે તબિબ છે. રાજેશભાઇ ખુબ જ હસમુખા, સરળ અને મળતાવડા સ્વભાવના હતાં. હાલમાં તેઓ નસિગ વિભાગના હેડ ઇન્ચાર્જ મેટ્રન તરીકે ફરજ બજાવતાં હતાં. બનાવથી હોસ્પિટલના કર્મચારીઓમાં પણ ગમગીની વ્યાપી ગઇ હતી.
અન્ય એક બનાવમાં મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં હરેશભાઇ વજેસીંહભાઇ બારડ (ઉ.વ.૪૧) સવારે ઘરે બેભાન થઇ જતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્ય હતાં. મૃતક પરિવારનો એકનો એક આધારસ્તભં હતાં. પિતા હયાત નથી, પોતે વૃધ્ધ માતા રસીલાબેન સાથે રહેતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. મ્યુ. કોર્પેારેશનના ટેકસ વિભાગમાં તેઓ પ્યુન તરીકે નોકરી કરતાં હતાં.હૃદય રોગના હત્પમલાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech