ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ફરી એકવાર સરહદ નજીક યુદ્ધ કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં ડ્રોન અને માનવરહિત સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ પુન:સ્થાપિત કરવા માટે કરાર થયો હતો. હવે ભારતે વધુ સતર્ક રહેવું પડશે તેમાં બે મત નથી. ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ એક જટિલ મુદ્દો છે. એલએસી પર ચીનના યુદ્ધ કવાયત અને બંને દેશો વચ્ચેના કરારો છતાં, સરહદ પર તણાવ ચાલુ છે. ભારતે કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા માટે સતર્ક રહેવાની અને તેની લશ્કરી તૈયારીઓને મજબૂત બનાવવાની જરૂર છે.
ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબર 2024 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી શરૂ કરવા સંમતિ આપવામાં આવી હતી. આ કરાર 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તણાવ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કરાર છતાં, સરહદ પર બંને પક્ષો વચ્ચે અનિશ્ચિતતા યથાવત છે અને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે.
ચીન અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરુ કર્યો
ચીનનો આ કવાયત ફક્ત નિયમિત તાલીમ નથી, પરંતુ તે વ્યૂહાત્મક રીતે કરવામાં આવી રહ્યો છે. એક્સોસ્કેલેટન જેવા સાધનોના ઉપયોગથી, ચીની સૈનિકો ઊંચાઈવાળા વિસ્તારોમાં સરળતાથી લશ્કરી કવાયત કરી રહ્યા છે. આ ચીનની રણનીતિનો એક ભાગ છે, જે વિવાદિત વિસ્તારોમાં ઝડપથી સૈનિકો તૈનાત કરી રહ્યું છે.
ભારતનો પ્રતિભાવ શો છે
ભારતીય સેના શિયાળુ કવાયત પણ કરી રહી છે અને તેના માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે. ચીન તરફથી કોઈપણ સંભવિત હુમલાનો સામનો કરવા માટે સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી રહી છે. ચીનના કોઈપણ આક્રમક પગલાનો સામનો કરવા માટે લદ્દાખમાં સેનાને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે.તેમજ ડેપસાંગ અને ડેમચોક જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી શરૂ થવાથી ભારત-ચીન સંબંધોમાં થોડો સુધારો થવાનો સંકેત મળે છે. જોકે, ચીન દ્વારા સતત કરવામાં આવી રહેલી લશ્કરી કવાયતો દશર્વિે છે કે કાયમી શાંતિ સ્થાપિત કરવી હજુ પણ એક લાંબી અને પડકારજનક પ્રક્રિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ મિલકત રદ થાય તો ધર્મ પાળવાનો અધિકાર છીનવાઈ જાય?: સુપ્રીમ કોર્ટનો સિબ્બલને સવાલ
May 20, 2025 03:14 PMબ્રહ્મોસ-આકાશ મિસાઇલોની બહાદુરીની ગાથા બાળકોને શાળાઓમાં ભણાવાશે
May 20, 2025 03:13 PMટ્રમ્પ નીતિના પગલે યુએસ એચ-1બી વિઝા નોંધણીમાં 25%નો ઘટાડો
May 20, 2025 03:05 PMમુંગા જીવો ઉપર અત્યાચાર ગુજારનારાઓ તમારી ખેર નથી
May 20, 2025 02:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech