દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર જવર ધરાવતા રાજકોટ એસટી બસ પોર્ટમાં પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોતા મુસાફરોને બેસવા માટે મુકેલી ખુરશીઓ ઘટાડવામાં આવતા હવે મુસાફરોને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેસવા અથવા તો ઉભા રહેવા ફરજ પડી રહી છે, આ મામલે તાકિદે યોગ્ય કરવા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા નિગમના મેનેજિંગ ડિરેક્ટરને રજુઆત કરાઇ છે.
વિશેષમાં મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ.ડી.ને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ એસટી બસપોર્ટમાં નિયમિત ૧૨૦૦થી વધુ બસોની આવન જાવન વચ્ચે હજારો મુસાફરોની અવર જવર રહે છે. એસટી બસપોર્ટમાં આમ પણ બેઠક વ્યવસ્થા ઓછી છે તેથી મુસાફરોને ફરજિયાત ઊભું રહેવું પડે છે અથવા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નીચે પલોઠી વાળીને બેસવું પડે છે. રાજકોટ એસટી બસપોર્ટમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના સંકલનના અભાવે જે બેઠક વ્યવસ્થા છે તે અપુરતી હોવા છતાં ૭૦થી વધુ બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોમાં રોષની લાગણી પ્રસરી છે. દાહોદ, ગોધરા, પંચમહાલ, ફતેપુરાના સૌથી વધુ એસ.ટી ને કમાઈને દેતા ગરીબ મુસાફરો માટે પ્લેટફોર્મ નં.૨૧ અને ૨૨ ઉપર એક પણ પંખો નથી અને કોઇ બેઠક વ્યવસ્થા પણ ન હોવાને કારણે મુસાફરોને કલાકો સુધી ભોયતળિયે બેસવું પડે છે. પ્લેટફોર્મ નં.૨૨ ઉપરનું પાણીનું પરબ હટાવીને સાઇડમાં જે રીતે પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર છે તે રીતે કરવામાં આવે તો બેઠક વ્યવસ્થા પણ વધી શકે તેમ છે જે અંગે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈનું મૌખિક ધ્યાન વારંવાર દોરવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી. રાજકોટ બસપોર્ટના સીસી ફૂટેજ જોઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે દંડનીય કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ મુસાફર હિતરક્ષક સમિતિએ ઉઠાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech